SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૫ ૧૫ ટીકા : स संविग्नपाक्षिकः, शुद्धं निष्कलङ्क सुसाधुधर्मं यथोक्तकारि यत्याचारं कथयति लोकेभ्यः प्रतिपादयति, निन्दति च जुगुप्सते एव निज एव निजकस्तमात्मीयमाचारमनुष्ठानं, तथा सुतपस्विनां शोभनसाधूनां पुरतोऽग्रतः कथञ्चित् तन्मध्यापन इत्यर्थः, भवति च भवत्येव सर्वावमरत्नाधिकोऽद्यदिनदीक्षितेभ्योऽप्यात्मानं न्यूनं विधत्त इत्यर्थः ।।५१५ ।। ટીકાર્ય : સ સંવિપક્ષ .... વિદત્ત ચર્થ: ૫ તે સંવિગ્સપાક્ષિક શુદ્ધ=નિષ્કલંક, સુસાધુ ધર્મને=જે પ્રમાણે શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રમાણે કરનારા યતિઓના આચારને કહે છેઃલોકોની આગળ કહે છે અને નિજક તેને=પોતાના આચારને અર્થાત્ અનુષ્ઠાનને, નિંદે છે=જુગુપ્સા કરે છે અને સુતપસ્વીની આગળ=શોભન સાધુઓની આગળ=કોઈક રીતે તેમની મધ્યમાં પ્રાપ્ત થયેલ, સર્વથી અવમરત્નાધિક થાય છે જ=આજના દિવસે દીક્ષિત થયેલાથી પણ પોતાને ન્યૂન કરે છે. પ૧પા. ભાવાર્થ : સુસાધુ હંમેશાં ત્રણ ગુપ્તિમાં દઢ યત્ન કરીને તેની પુષ્ટિ થાય તે પ્રકારે સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. તેથી તેમની તે તે ક્રિયા દ્વારા તેમનામાં વર્તતું ગુપ્ત માનસ અભિવ્યક્ત થાય છે. તે ગુપ્ત માનસ નિરભિમ્પંગ ચિત્તમાંથી ઉત્પન્ન થયેલું છે અને તે અધિક અધિક નિરભિમ્પંગ બને છે, તેથી સુસાધુ હંમેશાં નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત છે અને સુસાધુ કઈ રીતે આચારો કરીને નિગ્રંથભાવ પ્રત્યે પ્રસ્થિત છે તેનો સૂક્ષ્મ બોધ સંવિગ્નપાક્ષિક મહાત્માઓને હોય છે અને તેના પ્રત્યે અત્યંત રુચિ હોય છે, તેથી સંવિગ્નપાક્ષિક શ્રોતાઓ આગળ સુસાધુધર્મને કહે છે. જેનાથી યોગ્ય જીવોને બોધ થાય છે કે આ પ્રકારની ગુપ્તિનો અતિશય થાય તેવા શુદ્ધ આચારો જ સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ છે, તેથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભાવસાધુતાના સૂક્ષ્મ બોધ વગર સમ્યક્ત સંભવે નહિ અને સંવિગ્નપાક્ષિક સુસાધુનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે, જેથી ઘણા યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. વળી સંવિગ્નપાક્ષિક સાધુ જે સંયમની શિથિલ આચરણ કરે છે, તેનું કારણ તેમનામાં તે પ્રકારની ગુપ્તિનો અભાવ છે, પરંતુ તે પ્રકારની ગુપ્તિના અભાવથી કરાતી પોતાની ક્રિયા નિર્જરાનું કારણ નથી તેવો બોધ છે. તેથી સંવિગ્નપાક્ષિક પોતાના આચારની નિંદા કરે છે અને લોકોને પણ કહે છે કે અમે પ્રમાદી છીએ, તેથી ગુપ્તિમાં દઢ યત્નપૂર્વક તે તે આચારો સેવવા સમર્થ નથી, પરંતુ સુસાધુ જે પ્રકારે ગુપ્તિથી તે તે આચારોને સેવીને ગુપ્તિને અતિશય કરે છે તે આચારો મોક્ષનું કારણ બને છે, અમારા પ્રમાદવાળા આચારો મોક્ષનું કારણ નથી તેમ કહે છે. વળી સંવિગ્નપાક્ષિક સુતપસ્વીની આગળ પોતે નાના છે એમ માને છે, આથી પોતે દીર્ઘ સંયમપર્યાયવાળા હોય અને કોઈ નવદીક્ષિત સાધુ ભગવાનના વચન પ્રમાણે ગુપ્ત થઈને યત્ન કરનારા હોય,
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy