SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૩-૭૪, ૪૭૫ જાણનાર હતા તોપણ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવને વશ થઈને જે પ્રમાણે બોધ હતો, તે પ્રમાણે કષાયોનું ઉમૂલન કરવા તે બોધનો ઉપભોગ કર્યો નહિ, તેથી પરલોકમાં અનર્થ પ્રાપ્ત કર્યો. તુચ્છ વ્યંતરભવની પ્રાપ્તિ થઈ અને આ લોકમાં પણ શિષ્ટ પુરુષોનું લાઘવ કરનારા થાય છે; કેમ કે શિષ્ટ લોકોને જણાય છે કે આ માર્ગ અનાપ્ત પુરુષથી પ્રવર્તેલો છે. આથી જ ભગવાનના શાસનના સારને જાણવા છતાં શિષ્ય વગેરેના પ્રલોભનથી કે પર્ષદા વધારવા માટે પ્રવૃત્તિ કરે છે. તેથી તેમની ઉપદેશની પ્રવૃત્તિ તત્ત્વને સ્પર્શનારી હોય તોપણ નટના ઉપદેશ જેવી છે; કેમ કે તેઓ પોતાના આત્માનું અહિત જ કરે છે. ll૪૭૩-૩૭૪ll અવતરણિકા : तदिदमवेत्य यद् विधेयं तदाहઅવતરણિતાર્થ - તે આને જાણીને શાસ્ત્રોના સૂક્ષ્મ પરમાર્થને જાણીને ગુરુકર્મી જીવો હિત સાધી શકતા નથી, એમ પૂર્વમાં કહ્યું તેને જાણીને, જે કરવું જોઈએ=હિતાકાંક્ષી મહાત્માએ જે કરવું જોઈએ, તેને કહે છે – ગાથા - कह कह करेमि कह मा करेमि कह कह कयं बहुकयं मे । जो हिययसंपसारं, करेइ सो अइकरेइ हियं ॥४७५।। ગાથાર્થ : કઈ કઈ રીતે કરું? કઈ રીતે ન કરું ? કઈ કઈ રીતે કરાયેલું મારું ઘણું કરાયેલું થાય? જે હૃદય સંસારને કરે છે હૃદયમાં સ્પર્શે એ રીતે વિચારણા કરે છે, તે હિતને અતિશય કરે છે. IIછપા ટીકા : विवेकिना प्रतिक्षणमिदं पर्यालोच्यं, यदुत कथं कथं करोमि हितमनुष्ठानमादरादतिशयेन पर्यालोचयेत्, सम्भ्रमे द्विवचनं, कथं मा करेमि ति मा कार्ष, कथं कथं कृतमनुष्ठितं बहिवति बहुगुणं कृतमिहानुष्ठानं मे ममेत्येवमालोचयतो गुणमाह-यो विद्वान् हृदयसंप्रसारं चित्ते पर्यालोचं करोति सोऽतिकरोत्यतिशयेन सम्पादयति हितमात्मपथ्यमिति ।।४७५।। ટીકાર્ચ - વિવેશિના ... પમિતિ | વિવેકી જીવે દરેક ક્ષણે આ વિચારવું જોઈએ, શું વિચારવું જોઈએ એ યદુતથી બતાવે છે - કઈ કઈ રીતે કરું ?=હિત અનુષ્ઠાનને આદરના અતિશયથી વિચારવાનું
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy