SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૪-૪૬૫ ભાવાર્થ: કોઈ જીવ અહિંસા ધર્મ સેવવા તત્પર થાય, તેથી કોઈને પીડા ન થાય તેવો યત્ન કરે તેવા દયાળુ સ્વભાવવાળાને જોઈને ક્ષુદ્ર પ્રકૃતિવાળા જીવો તેમના દયા ગુણનો દુરુપયોગ કરે, હંમેશાં તેમને પ્રતિકૂળ વર્તન કરે, છતાં તે મહાત્મા તેનો પ્રતિકાર કરે નહિ, તે જોઈને અવિવેકી જીવો તેમની નિંદા કરે છે અને કહે છે. તેના અનુચિત વર્તનનો પ્રતિકાર કરવા તું અસમર્થ છે, તેથી બકરા જેવો છે. જેમ ચંડિકા દેવીના કરણભૂત વાઘનો બલિ કોઈ કરે નહિ, બધા બકરાને જ બલિ કરે છે, તેમ તું પણ બકરા જેવો છે, જેથી તેમના અનુચિત વર્તનને સહન કરે છે, તે સાંભળીને પણ વિવેકીએ ક્ષમાનું જ અવલંબન લેવું જોઈએ, પરંતુ તેના વચનથી પોતાને પ્રતિકૂલ વર્તન કરનારા પ્રત્યે ક્રોધ કરવો જોઈએ નહિ; કેમ કે ક્રોધ પરલોકમાં અપકારી છે અને આયુષ્ય નાશ પામી રહ્યું છે, તેથી મૃત્યુ પામીને તારે પરલોકમાં જ જવાનું છે માટે આ ભવમાં તુચ્છ જીવોની હીલનાને વશ થઈને પરલોકમાં અપકારી એવા ક્રોધનો આશ્રય લેવો જોઈએ નહિ, ક્ષમાપ્રધાન થવું જોઈએ અને જે ક્ષમાપ્રધાન જીવ હોય તે કોઈ જીવની હિંસા કરે નહિ, પીડા કરે નહિ, કોઈના કષાયનો ઉદ્રેક કરે નહિ, બધા જીવોને પોતાના તુલ્ય માનીને તેમનું પારમાર્થિક હિત થાય તે રીતે પ્રવૃત્તિ કરે અને પોતાના આત્માને કષાયોની પીડાથી રક્ષણ કરવા હંમેશાં યત્ન કરે. I॥૪૬૪॥ અવતરણિકા : આદ ય અવતરણિકાર્થ = અને કહે છે=પૂર્વની ગાથામાં કહ્યું કે કોઈ તને અસમર્થ કહે તોપણ ક્રોધ કરવો નહિ. ક્ષમાનું અવલંબન લેવું એને દૃઢ કરવા માટે આદુથી કહે છે ગાથા: - ૧૨૧ वच्चइ खणेण जीवो, पित्तानिलधाउसिंभखोभम्मि । उज्जमह मा विसीयह, तरतमजोगो इमो दुलहो ।।४६५ ।। ગાથાર્થ ઃ પિત્ત, અનિલ=વાયુ, ધાતુઓ અને શ્લેષ્મનો સંક્ષોભ થયે છતે જીવ ક્ષણમાં મૃત્યુ પામે છે, ઉદ્યમ કર, વિષાદ ન કર, આ તરતમ યોગ દુર્લભ છે. II૪૬૫।। ટીકા ઃ व्रजति गच्छति क्षणेन स्वल्पकालेन जीवः प्राणी, पित्तं चानिलश्च धातवश्च रसाद्याः श्लेष्मा चेति द्वन्द्वस्तेषां क्षोभः प्रकोपस्तस्मिन्, तद्गतश्चायुषश्च्यव्यते शिष्यान् प्रत्याह- उद्यच्छत उद्यमं
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy