SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૩૮-૩૯ ભાવાર્થ : દિગંબર ગ્રંથકાર કુંદકુંદાચાર્યે “સમયસાર' આદિ ગ્રંથોની રચના કરી ત્યાં નિશ્ચયનયને પ્રધાન કરીને અને વ્યવહારનયને ગૌણ કરીને ભગવાનના શાસનના ઘણા પદાર્થો ખોલ્યા છે, જે આપાતથી=સ્થૂલદષ્ટિથી રમ્ય છે. વળી, તે દરેક કથન ઉપર નયોનું વિશ્લેષણ કરેલ નથી અર્થાત એકએક સૂત્ર “આ નયની અપેક્ષાએ આ રીતે અર્થ કરે છે, તો અન્ય નયની અપેક્ષાએ આ રીતે અર્થ કરે છે” તે રીતે વિભાગ કર્યો નથી, તેથી તે ગ્રંથ મૂઢનયવાળો છે. આશય એ છે કે પૂર્વે આગમનાં દરેક સૂત્રો ગ્રહણ કરીને તેના ઉપર સર્વનયોને ઉતારવામાં આવતા હતા, જેથી સર્વનયની દૃષ્ટિથી તે સૂત્રનું તાત્પર્ય ગ્રહણ થાય. પરંતુ આર્યરક્ષિતસૂરિજીએ, તે રીતે કહેવાથી પછીના જીવોને મતિભ્રમ થવાનો સંભવ જાણીને સૂત્રમાં નયોને ઉતારવાનો નિષેધ કર્યો, અને સૂત્રોને ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપે વિભાગ કરીને સમજાવવાનું શરૂ કર્યું; જેથી તે સૂત્રો દ્વારા ઉચિત બોધ કરીને આરાધક સાધુ પોતાની ભૂમિકા પ્રમાણે ચરણકરણાનુયોગના સૂત્રના બળથી ચારિત્રની આચરણામાં પ્રયત્ન કરી શકે, ગણિતાનુયોગ દ્વારા પદાર્થનો યથાર્થ બોધ કરીને સંસારના સ્વરૂપનું ભાવન કરી શકે, ધર્મકથાનુયોગ દ્વારા પૂર્વના મહાપુરુષોના પ્રસંગોના બળથી સંયમની વૃદ્ધિમાં કઈ રીતે યત્ન કરવો તેનો ઉચિત બોધ પ્રાપ્ત કરે અને દ્રવ્યાનુયોગના ચિંતનથી નિર્લેપદશાની વૃદ્ધિ કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે. આ રીતે શુભ ચિંતવન દ્વારા સાધુ સંયમયોગની વૃદ્ધિ કરી શકે. જો આ રીતે વિભાગ કર્યા વગર દરેક સૂત્ર ઉપર સર્વનયો ખીલવવામાં આવે, તો સામાન્યથી આરાધક જીવોને તે તે નયના દૃષ્ટિકોણનો કંઈક-કંઈક બોધ થાય, તોપણ તે સૂત્રના બળથી કઈ રીતે હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરી શકાય, તેનો બોધ થાય નહીં. તેથી આર્યરક્ષિતસૂરિજીએ સૂત્રમાં નય ઉતારવાનો નિષેધ કર્યો અને તેથી તે સૂત્રો મૂઢનયવાળાં કહેવાયાં. તે રીતે કુંદકુંદાચાર્યે પણ પોતાની ગ્રંથરચનામાં નયોને ખીલવ્યા નથી, તેથી તેમના સમયસાર આદિ ગ્રંથો મૂઢનયવાળા છે. આમ છતાં કુંદકુંદાચાર્ય જીવોના ઉપકાર માટે વ્યવહારપ્રધાન ઉપદેશને છોડીને નિશ્ચયનયના દષ્ટિકોણને સામે રાખીને તે ગ્રંથની રચના કરેલી છે, તેથી મૂઢનયવાળું બોટિક આદિનું વચન ઘણા જીવોને નિશ્ચયનય પ્રધાન હોવાને કારણે માર્ગનો વ્યામોહ કરવાનું કારણ થાય તેવું છે. તેથી પરમાર્થથી તે રમ્ય નથી, તોપણ નિશ્ચયનયના દૃષ્ટિકોણ દ્વારા રમ્ય પદાર્થોથી રચાયેલા તે ગ્રંથો યોગના અર્થી જીવોને પ્રથમ દૃષ્ટિએ રમ્યા લાગે તેવા છે. તેથી ગ્રંથકાર કહે છે આપાતરમ્ય એવાં બોટિકનાં તે વચનોને સાંભળીને કોઈ બુદ્ધિશાળી વક્તા તેનાં વચનોને વ્યવહારાદિ પ્રધાન એવા શ્રુતથી વિશેષિત કરે તો લોકોને સમજાવી શકે કે બોટિકનું આ વચન આ દૃષ્ટિકોણથી નિશ્ચયનયને સ્પર્શનારું છે અને આ દૃષ્ટિકોણથી વ્યવહારનયને સ્પર્શનારું છે, ફક્ત નિશ્ચયપ્રધાન તેનાં વચનો હોવાથી વ્યવહારનાં પ્રતિપાદક વચનો તે ગ્રંથમાં અલ્પ છે અને તેના ઉપર પ્રધાનતા તે ગ્રંથમાં અપાઈ નથી. ઉત્તાનમતિથી અર્થાત્ વિસ્તાર કરવાની મતિથી દિગંબરના તે વચનને કોઈ ઉપદેશક પલ્લવિત કરે એટલા માત્રથી આ પ્રમાણે ઉપદેશકને ઇષ્ટ પ્રાપ્ત થતું નથી; કેમ કે શ્રોતાને સમ્યફ બોધ કરાવીને
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy