SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૨૫-૨૨૬ ૩૦૫ ગાથા : आसयसुद्धीइ तओ, गुरु परतंतस्स सुद्धलिंगस्स । भावजइत्तं जुत्तं, अज्झप्पज्झाणणिरयस्स ॥२२५॥ आशयशुद्ध्या ततो गुरुपरतन्त्रस्य शुद्धलिङ्गस्य । भावयतित्वं युक्तमध्यात्मध्याननिरतस्य ॥२२५।। ગાથાર્થ : તે કારણથી=પૂર્વમાં બતાવ્યાં તેવાં સાત લક્ષણોને ધારણ કરનારા સાધુઓ વર્તમાનમાં સર્વથા નથી એમ નહિ તે કારણથી, ગુરુપરતંત્ર, શુદ્ધ લિંગવાળા, અધ્યાત્મધ્યાનમાં નિરત એવા સાધુનું ભાવયતિપણું આશયશુદ્ધિથી=અર્થપદની ભાવનાથી કરાયેલ આશયશુદ્ધિથી, યુક્ત છે. ૨૨પા ભાવાર્થ :- ભાવયતિનું સ્વરૂપ : - જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી ગુણવાન ગીતાર્થ ગુરુને પરતંત્ર છે, શક્તિ અનુસાર સંયમની શુદ્ધ આચરણા કરે છે તેથી શુદ્ધ લિંગવાળા છે, અધ્યાત્મ-ધ્યાનમાં નિરત છે અર્થાત્ મારે શુદ્ધ આત્માને પ્રગટ કરવો છે તેવું લક્ષ્ય કરીને, શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ સર્વ ઉચિત ક્રિયાઓ અપ્રમાદભાવથી કરે છે; તેથી અધ્યાત્મને પ્રગટ કરવા માટે એકાગ્ર મનવાળા છે, અને અનાભોગ કે સહસાત્કારથી કોઈક અતિચારો લાગી જાય તો તેની ઉપેક્ષા ન થાય તે માટે હંમેશાં અર્થપદનું ભાવન કરે છે, જેથી અતિચારની શુદ્ધિ માટેનો યત્ન સમ્યફ થાય; આવા સાધુનું અતિચારના શોધન માટેના કરાયેલા સમ્યફ યત્નરૂપ આશયશુદ્ધિથી સંયમમાં અલના હોવા છતાં ભાવસાધુપણું સંગત છે. ર૨પા અવતરણિકા : ગ્રંથની સમાપ્તિમાં ગ્રંથકાર ગ્રંથ રચવાનું પ્રયોજન બતાવે છે – ગાથા : इय सत्तलक्खणत्थो, संगहिय सुबहुतंतवक्कत्थं । फुडविअडो वि य भणिओ, सपरेसिमणुग्गहट्ठाए ॥२२६॥ इति सप्तलक्षणार्थः, सङ्गृह्य सुबहुतन्त्रवाक्यार्थम् । स्फुटविकटोऽपि च भणितः, स्वपरेषामनुग्रहार्थाय ॥२२६॥ ગાથાર્થ : આ પ્રમાણે ગાથા-૨૨૫ સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, સુબહુ તંત્રના વાક્યર્થનો સંગ્રહ કરીને= ઘણાં શાસ્ત્રોના વાક્યોના અર્થનો સંગ્રહ કરીને, સ્વ-પરના અનુગ્રહ માટે પોતાને ચંતિના સ્વરૂપની સ્મૃતિ દ્વારા પોતાના અનુગ્રહ માટે, અને પતિના સ્વરૂપનો બોધ કરાવવા દ્વારા શ્રોતાનો અનુગ્રહ કરવા માટે, સ્પષ્ટ વિકટ પણ=જે પદાર્થોને સ્પષ્ટ કરવા ઘણા વિકટ છે એવો પણ, સાત લક્ષણોના અર્થવાળો યતિના સાત લક્ષણોના અર્થને બતાવનારો એવો પ્રસ્તુત ગ્રંથ કહેવાયો. ર૨શા
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy