SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬૦-૧૧-૧૬૨ નિરીક્ષણાદિમાં મૈથુન છે–ચોથા મહાવ્રતની વિરાધના છે. ત્યાં=સ્ત્રી આદિના વિષયમાં, સ્નેહ થવાથી પરિગ્રહમાં-પાંચમાં મહાવ્રતમાં વિરાધના છે. “તિ' શબ્દ પાંચ મહાવ્રતોના દોષોની સમાપ્તિ માટે છે. જે કારણથી અસહાયને એકાકી સાધુને આ દોષો થાય છે=પૂર્વમાં વર્ણન કર્યું એ દોષો થાય છે તે કારણથી બીજા સાધુ સહિત ભિક્ષા માટે ગમન છે; અને જો ભિક્ષાટન પણ સસહાયને જ યુક્ત હોય તો સસહાયને જ વિહાર અત્યંત યુક્ત છે, જે કારણથી સહાયવાળો સાધુ આ સર્વ દોષોને પ્રાયઃ પરિહરવા સમર્થ થાય છે. “રૂતિ' ટીકાની સમાપ્તિ માટે છે. ભાવાર્થ : અવતરણિકામાં કહેલ કે આ આગમવચનથી “ર યામિના' સૂત્ર વિશેષવિષયવાળું=ગીતાર્થ વિષયવાળું જાણવું. તે કથન પ્રસ્તુત ગાથાથી આ પ્રમાણે વ્યક્ત થાય છે પ્રસ્તુત ગાથાથી એ બતાવ્યું કે ગોચરી અર્થે પણ સાધુને એકાકી જવામાં સ્ત્રીવિષયક, શ્વાનવિષયક, પ્રત્યેનીક વિષયક, ભિક્ષાની વિશુદ્ધિ વિષયક અને મહાવ્રત વિષયક દોષોની પ્રાપ્તિ થાય છે. તેથી સાધુએ વિહાર તો હંમેશાં અન્ય સાધુઓની સહાયથી જ કરવો જોઈએ. આ રીતે પ્રસ્તુત ગાથાથી સાધુને એકાકી વિહારનો સ્પષ્ટ નિષેધ પ્રાપ્ત થાય છે. આમ છતાં ગાથા-૧૫માં બતાવ્યું એ “ર યાતમન્ના' સૂત્રથી સાધુને એકાકી જવાની પણ અનુજ્ઞા આપી છે. તેથી એ ફલિત થાય કે એકાકી વિહારમાં થતા દોષોનો પરિહાર ગીતાર્થ સાધુ કરી શકે અને પોતાને નિપુણ સહાય ન મળે ત્યારે એકાકી વિહાર કરે, પરંતુ તે સિવાય ગીતાર્થ સાધુ પણ એકાકી વિહાર કરે નહિ. જ્યારે અગીતાર્થ સાધુ તો પ્રસ્તુત ગાથામાં બતાવેલા દોષોનો પરિહાર કરી શકે નહિ. માટે અગીતાર્થ સાધુએ તો બીજાની સહાયથી જ ગમન કરવું જોઈએ. /૧૬oll અવતરણિકા : પૂર્વગાથામાં ‘ર યાત્નમાળા' સૂત્ર વિશેષવિષયવાળું છે તે આગમવચનથી બતાવ્યું, જે આગમવચન પંચાશક-૧૧ ગાથા-૩૧માં બતાવેલ છે. હવે “ર યામિન્ના' સૂત્ર ગીતાર્થવિષયવાળું છે તે બતાવવા માટે અન્ય આગમવચનોને ગ્રહણ કરીને બતાવે છે, અને તે આગમવચનો પંચાશક ૧૧, ગાથા-૨૭, ૨૮, ૨૯ રૂપે પણ છે – ગાથા : जाओ अ अजाओ य, दुविहो कप्पो य होइ विन्नेओ । इक्किक्को पुण दुविहो, समत्तकप्पो य असमत्तो ॥१६१॥ जातश्चाऽजातश्च द्विविधः कल्पश्च भवति विज्ञेयः ।। एकैकः पुनर्द्विविधः समाप्तकल्पश्चाऽसमाप्तः ॥१६१॥ गीयत्थजायकप्पो, अगीओ पुण भवे अजाओ अ । पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो ॥१६२॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy