SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૪૩-૧૪૪ ૧૯૫ ગાથા : गुरुआणाए चाए, जिणवरआणा न होइ णियमेणं । सच्छंदविहाराणं हरिभद्देणं जओ भणिअं ॥१४३॥ गुर्वाज्ञायास्त्यागे, जिनवराज्ञा न भवति नियमेन । स्वछन्दविहाराणां, हरिभद्रेण यतो भणितम् ॥१४३॥ ગાથાર્થ : ગુરુ આજ્ઞાના ત્યાગમાં સ્વચ્છંદવિહારીઓને જિનેશ્વરની આજ્ઞા નિયમથી હોતી નથી, જે કારણથી હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે. ll૧૪all ભાવાર્થ :- ગુણવાનગુરુની આજ્ઞાના ત્યાગમાં ભગવાનની આજ્ઞાનો ત્યાગ : જે સાધુ ભિક્ષાદિમાં થતા દોષોના પરિવાર અર્થે કે અન્ય કારણે ગુરુ આજ્ઞાનો ત્યાગ કરીને ગુરુકુળવાસનો ત્યાગ કરે છે અને સ્વચ્છંદ વિચરે છે, તે સંયમની બાહ્ય ક્રિયાઓ સારી રીતે કરતા હોય તોપણ તેમની આચરણામાં ભગવાનની આજ્ઞાનું નિયમથી પાલન નથી; કેમ કે ભગવાનની સર્વ આજ્ઞાઓનું મૂળ ગુણવાન એવા ગીતાર્થ ગુરુને પરતંત્ર થઈને સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવી એ છે. સ્વચ્છંદવિહારીઓને ભગવાનની આજ્ઞા નથી, તેમાં સાક્ષરૂપે હરિભદ્રસૂરિનું વચન સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. NI૧૪૩ અવતરણિકા : अथ गुरुकुलवासमोचने दोषोपदर्शनेन तदाज्ञाया एव प्रकृष्टत्वसमर्थनायाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે જે કારણથી હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે. તેથી હરિભદ્રસૂરિ વડે જે કહેવાયું છે તે પંચાશક ૧૧ની ગાથા-૧૪થી બતાવે છે, અને તે પંચાશકની ગાથામાં કરાયેલી અવતરણિકાનો અર્થ આ પ્રમાણે છે – : ગુરુકુળવાસના ત્યાગમાં દોષ બતાવવા દ્વારા, ગુરુકુળવાસની આજ્ઞાના જ પ્રકૃષ્ટપણાના સમર્થન માટે અર્થાત્ પ્રકૃષ્ટ ધર્મપણાના સમર્થન માટે કહે છે – ગાથા : एअम्मि परिच्चत्ते, आणा खलु भगवओ परिच्चत्ता । तीए अ परिचाए, दुण्ह वि लोगाण चाओ त्ति ॥१४४॥ एतस्मिन्परित्यक्ते, आज्ञा खलु भगवतः परित्यक्ता ।। तस्याश्च परित्यागे, द्वयोरपि लोकयोस्त्यागरिति ॥१४४॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy