SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરથ સહિત. Tયાર્થ-બી સમુદ્ર ત્રીજો સમુદ્ર અને છેલ્લે સમુદ્ર એ ત્રણ સમુદ્ર સ્વાભાવિક પાણી સરખા રસવાળા-સ્વાદવાળા છે, પહેલે સમુદ્ર, ચેાથે સમુદ્ર, પાંચમો સમુદ્ર અને ક્રો, પણ સમુદ્ર પોતાના નામ સરખા રસવાળી છે, અને શેષ સર્વે ઈશુ શેરડીના રસ સરખા રસવાળા છે. | ૧ વિસ્તર –બીજો કાલેદધિ સમુદ્ર, ત્રીજો પુષ્કર સમુદ્ર અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્ર નદી કૂવા તળાવ વિગેરેનું જેમ સ્વાભાવિક પાણી હોય છે તેવા સ્વાભાવિક પાણી સરખા સ્વાદવાળા છે. તથા પહેલ લવણસમુદ્ર લવણ એટલે ખારા રસવાળો છે, ચોથે વારૂણીવરસમુદ્ર વારૂણી એટલે ઉત્તમ મદિરા સરખા રસવાળો છે, પાંચમે ક્ષીરવરસમુદ્ર ક્ષીર એટલે કે દુધ સરખા સ્વાદવાળો છે, અને છઠ્ઠો વૃતવરસમુદ્ર વ્રત એટલે ઘી સરખા રસવાળો છે, અને શેષ સર્વ સમુદ્રો પશેરડીના રસ સરખા રસવાળા છે.. મતળ –આ ગાથામાં સર્વ દ્વીપ સમુદ્રોનો વિસ્તાર કહેવાય છે जंबुद्दीव पमाणंगुलि जोअणलक्खवट्टविक्खंभो। लवणाईआ सेसा, वलयामा दुगुणदुगुणा य ।। १२ ।। શબ્દાર્થ – iીવ-જંબુદ્વીપ વાગા-લવણ સમુદ્ર વિગેરે વમringઢ–પ્રમાણગુલ વડે સેના–શેષ સર્વ દ્વીપ સમુદ્રો વસ્થામાં–વલય સરખા #–એક લાખ ટુપુળદુળr-બમણું સરખાં વવવવમે–વૃત્તવિકુંભવાળે ૧ અતિપશ્ય નિર્મળ હલકું (આહાર શીધ્રપચાવે એવું) અને અતિ મીઠાશવાળું એ પાણી જાણવું. ૨ ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરા જેવા રસવાળું પણ ગંધાતા દારૂ સરખું નહિં. ૩ આ પાણી દુધ સરખું છે, પરંતુ દુધ છે એમ નહિ, વળી એ પાણી દુધ સરખું, શ્વેતવર્ણ વાળું છે, તથા ચાર શેર દુધમાંથી ત્રણ શેર બાળીને (ઉકાળીને) શેર દુધ રહેવા દઈ તેમાં સાકર નાખીને પીતાં જેવી મીઠાશ આવે તેવી મીઠાશવાળું આ પાણી છે, પરન્તુ એ પાણી ને અહિં દુધપાક કે બાસુદી આદિ દુધના પદાર્થો બને નહિં, કારણ કે સ્વાદ તેવો છે, પણ જાતે પાણી છે. પુનઃ ચક્રવતી જે ગાયનું દૂધ પીએ છે તે દુધથી પણ અધિક મીઠાશ વિગેરે ગુણ આ પાણીમાં કહ્યા છે. પુનઃ શ્રી જિનેશ્વરેને જન્માભિષેક પણ આ ક્ષીરસમુદ્રના જળથી થાય છે. - ૪ એ પાણી પણ ઘી સરખું છે પરંતુ ઘી નથી, કારણ કે એ પાણીથી પૂરી વિગેરે તળાય નહિ. જાતે પાણી હોવાથી. ૫ એ પાણી પણ શેરડીના રસ સરખા સ્વાદવાળું છે, પણ શેરડીને રસ છે એમ નહિ વળી તજ એલાયચી કેસર અને મરી એ ચાર વસ્તુ ભેગી કરવાથી ચતુર્નાતક કહેવાય, તે ચતુર્નાતકને ચાર શેર શેરડીને રસ ઉકાળી ત્રણશેર બળવા દઈ એક શેર રાખીને તેમાં નાખી પીવાથી જેવી મીઠાશ આવૈ તેવી મીઠાશથી પણ અધિક મીઠાશ એ સમુદ્રોના જળમાં છે, પરંતુ ઉકાળવાથી રસ જે જ થાય છે કરી ? જાડાઈ પણ આ જળમાં ન હોય, કારણ કે જાતે જળ છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy