SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કહી ચાલતી રેલગાડીમાં બેઠેલ માણસ રેલગાડીને સ્થિર જુવે છે અને ભ્રમને અંગે માર્ગ ઉપરના વૃક્ષાદિને ચાલતા દેખે છે. આવી ભૂલને લીધે જ પૃથ્વીને સ્થિર અને સૂર્યાદિને પૃથ્વીના પરિ- ચાલતા જઈએ છીએ એમ કદાચ માની લઈએ; પરંતુ આધાર પર ચાલતા ભ્રમણ સંબધી તીરછી ગતિવાળા ગાડી કે વહાણોના ઉદાહરણથી નિરાધારપણે ચક્રાવા લેતી પૃથ્વીની સાબીતી કરવી વ્યાજબી કેમ મનાય ? રેલગાડી પૃથ્વી ઉપરના પાટાના જ આધારે ચાલે છે. કેટલીક વાર પાટા બૂટી જતાં નિરાધાર રેલના અકસ્માતૃ થયાના ધણ દાખલાઓ મળી આવે છે. જે રેલ વિગેરે નિરાધારપણે ચાલી શકતા નથી તે પછી પૃથ્વી નિરાધારપણે ચાલી શકે અને ત્રાંસી થવા છતાં તેની અંદરની વસ્તુ ન પડી જાય તે કેમ બને ? સાફ લિંબુ કે સાફ રબરના દડાને લાગેલી ધૂળ ફેરવવાથી ખરી જાય છે, લગાડેલું તણખલું કે દાબ વિનાની ટાંકણું પડી જાય છે ત્યાં આકર્ષણ કેમ કાર્યકારક થતું નથી ? કૂવાને કાંઠે નજીક છતાં કુવામાં, કે ભીત નજીક છતાં છાપરા ઉપરથી મનુષ્ય કેમ ભૂમિ ઉપર પડી જાય છે ? કાંઠા અને ભીંત કરતાં મનુષ્ય અને પડનારી વસ્તુ ધણી હલકી છે, ચાલતી રેલવેના માથે રાખેલા કાંકરા વેગને લીધે જલદી નીચે પડે છે, ત્યાં આકર્ષણ કેમ કાર્ય કરતું નથી ? વળી સપાટીવાળા રેલના વેગને પણ મનુષ્ય જાણી શકે છે તો પછી ગડમથલ લેતી પૃથ્વીના વેગની મનુષ્યોને અવશ્ય ખબર પડવી જાઈએ, અને બુદ્ધિવિભ્રમ થતા હોય તે તે પણ સુધરવો જોઈએ. પરંતુ પૃથ્વી ફરતી નથી તે તે બુદ્ધિવિશ્વમ કેમ માની શકાય ? ઉલટું પૃવીને ફરતી માનનારા પણ પૃવીને ફરતી માને છે તે સાથે સૂર્યને પણ ફરતે માનવા તૈયાર થાય છે આ તે કેવો બુદ્ધિવૈભવ ? મૃગતૃષ્ણામાં થયેલ જલનું ભાન જેમ આગળ જતાં જળ ન મળવાથી ભાત નક્કી થાય છે, તેમ રેલવેની સ્થિરતાનું ભાન સ્ટેશન આવવાથી બ્રાન્ડ નકકી થાય છે. તો પછી તેવા અસત્ય ભ્રાન્ત દૃષ્ટાન્તોથી વસ્તુ સ્થિતિ સાબીત કરવી એ સાચાનું કાર્ય ગણાય નહિં. એક બાણને પુર જેસથી કઈ પણ દિશામાં ફેંકતા તે આકાશમાં જઈ બેચાર મિનીટ પછી અમુક અંતરે જ પૃથ્વી પર પડશે. હવે પૃથ્વીની જો ગતિ માનીએ તો બેચાર મિનિટમાં પૃથ્વીની કેટલી બધી ગતિ થઈ જાય ? અને એ ગતિ માનતાં બાણ કયાં ને કયાંઈ પડવું જોઈએ. છતાં બાણના ફેંકયા પછી પા માઈલને પણ વધારે તફાવત પડતો નથી. એક મિનીટમાં હજાર માઈલની ગતિવાળે પૃથ્વીને વેગ જે સાચો હોય તે આપણે એક મીનીટ પહેલા ઊંચે જોયેલ અથવા ધારી રાખેલ પક્ષી વાદળાં કે ઊંચે ફેંકેલ વસ્તુને એક મિનીટ બાદ જોઈ ન શકીએ. કારણ કે એક મિનીટમાં તે આપણે એક હજાર માઈલ દૂર પહોંચી જઈએ. વળી આવી વેગવાળી પૃવીમાં આપણે વસવાટ હોઈ ક્ષણે ક્ષણે અવનવા બનાવો દેખાવા જોઈએ. તથા પૂર્વે દેખેલી વસ્તુઓ આપણને ક્ષણે ક્ષણે અદશ્ય થવી જોઈએ. અને પવનના ઝપાટાને લીધે આવેલી ધૂળ બહાર નીકળવી જોઈએ નહિં તેમજ બારણાથી અંદર આવવી જોઈએ નહિ. અણિને આધારે અતિ વેગથી ફરતા ભમરડો સ્થિર દેખાય છે, અને ભ્રમણ વખતે પોતાની ઉપર રહેલ રજકણને દૂર ફેંકી દે છે. તે પ્રમાણે સ્થિર દેખાતી પૃથ્વીને ગતિવાળી કહેવી તે બંધબેસતું / નથી. કારણ કે પ્રથમ તે પૃવીને નિરાધાર માનવા સાથે પૃથ્વીનું પરિભ્રમણ કહેવું એ વિસંવાદી વચન છે. છતાં પૃથ્વીને બમણવાળી માનીએ તે પોતાની ઉપર રહેલી ચીજને પૃથ્વીએ ફેકી દેવી જોઈએ અને સમદ્રના પાણીને તો જરૂર સંબંધ વિનાનું હોઈ ઉછાળી દેવું જોઈએ પરંતુ આકાશમાંથી પડતા દ્રવ્યને પણ દૂર નાંખી શકતી નથી. જેથી પૃથવી ગતિવાળી હોવાની કલ્પના અસંગત છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy