SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પાતાળકળશાને યંત્ર પથાર્થ–લવણસમુદ્રમાં તે તે સ્થાને બીજા સાત હજાર આઠસો ચોર્યાસી ૭૮૮૪ નાના પાતાલકળશે છે, તે પૂર્વે કહેલા ચાર મહાકળશથી સોમા ભાગે પ્રમાણવાળા છે. ૫ ૬ ૨૦૦ | વિસ્તરાર્થ-લવણસમુદ્રની જ્યાં શિખા આવેલી છે, ત્યાં શિખાના અભ્યન્તરભાગનો જંબુદ્વીપ તરફનો પરિધિ [સમુદ્રનો ઘેરાવો] ૨૯૦૦૦૦ બે લાખ નેવું હજાર એજનના વ્યાસ પ્રમાણે ૯૧૭૦૬૦ નવલાખ સત્તરહજાર સાઠ . છે, તે ઘેરાવામાં આવેલા ચાર મહાકળશેના ચાર મુખને એકત્ર વિસ્તાર ૪૦૦૦૦ %ચાલીસ હજાર યોજન બાદ કરીએ તે ૮૭૭૦૬૦ આઠ લાખ સિત્તોતરહજાર સાઠ યોજન આવે, તેને ચાર મહાકળશેના ચાર આંતરાવડે ભાગતાં ૨૧૯૨ ૬૫ જનનું એકેક આંતરૂ આવે, વળી દરેક આંતર ૧૦૦૦૦ જન વિસ્તારવાળું છે, ત્યાં અભ્યન્તરના એ લઘુપરિધિમાં ચાર આંતરામાં દરેકમાં ૨૧૫-૨૧૫ લઘુ પાતાલકળશેની ચાર શ્રેણી પરિધિ પ્રમાણે ગેળ આકારમાં આવેલી છે. ત્યારબાદ બીજી પંક્તિમાં ૨૧-૨૧૬ પાતાળકળશે, ત્રીજી પંક્તિમાં ૨૧૭–૨૧૭, ૭૮૮૪ લઘુ ચેથી પંક્તિમાં ૨૧૮-૨૧૮, પાંચમી પંક્તિમાં ૨૧૯-૨૧૯, છઠ્ઠી પાતાળ કળશો પંક્તિમાં ૨૨૦-૨૨૦, સાતમી પંક્તિમાં ૨૨૧-૨૨૧, આઠમી ' પંકિતમાં ૨૨૨૨૨૨, અને નવમી પંકિતમાં ૨૨૩-૨૨૩, પાતાલ. કળશે છે, જેથી એક આંતરામાંની ૯ પંક્તિમાં સર્વમળીને ૧૯૭૧ પાતાલકળશે છે, અને ચારે તરાના સર્વ કળશે ગણતાં [૧૭૭૧૪૪=] ૭૮૮૪ લઘુ પાતાલ. કળશ થાય છે. અહિં છેલી નવમી પંક્તિ ધાતકીખંડતરફ શિખાની બાહ્યપરિધિમાં આવેલી છે, અને પહેલી પંક્તિથી ધાતકીખંડતરફ જતાં મોટા મોટા પરિધિ હોવાથી દરેક આંતરામાં એકેક પાતાળકળશ અધિક અધિક છે. તથા એ લઘુ પાતાળકળશે પણ પરસ્પર યથાસંભવ કંઈક આંતરે આંતરે રહેલા છે, પણ એકબીજાને અડીને રહ્યા નથી. એ દરેક લઘુપાતાળકળશ મેટા કળશથી ૧૦૦ મા ભાગના છે, લઘુપાતાળ જેથી ૧૦ એજન જાડી ઠીકરી છે, ૧૦૦ એજન મુખે પહોળા કળશેનું પ્રમાણ છે, ૧૦૦ યોજના બુંધે (તળીયે) પહેળા છે, ૧૦૦૦ એજન પેટવાળા છે, અને ૧૦૦૦ યેજન ઊંડા ભૂમિમાં દટાયેલા છે. એ અભ્યન્તર પરિધિરથાને મહાપાતાળકળશનું મુખ જો કે ૧૦૦૦૦ જન વિસ્તારવાનું નથી, પરંતુ સમદ્રના મધ્યભાગમાં જ છે, તે પણ મધ્યભાગે રહેલા મુખવિસ્તારની સીધી લીટીએ-સમશ્રેણીએ અત્યન્તરપરિધિમાં પણ ૧૦૦૦૦ મુખવિસ્તાર ગણવો અનુચિત નથી. પુનઃ અહિં બીજી એ પણ આશંકા થવા યોગ્ય છે કે–સમુદ્રને મધ્યપરિધિ ગણો ઉચિત છે, તેને બદલે અભ્યન્તરપરિધિ ગણીને દશહજાર જન મુખ કેમ ગયું ? મુખને મધ્યવિસ્તાર મધ્યસમુદ્રમાં હોવાથી મધ્યપરિધિ ગણવો જોઈએ. એ શંકાના સમાધાનમાં એટલું જ કહી શકાય કે લઘુકળશની પહેલી પંક્તિ જે સ્થાને વવી છે તેજ સ્થાનનો પરિધિ ગણુ યોગ્ય હોવાથી મધ્યપરિધિ ન ગણતાં અભ્યત્ર પરિધિ જ ગ. અને મુખને મધ્યવિસ્તાર ત્યાં ન હોવા છતાં સીધી લીટી પ્રમાણે મધ્યવિસ્તાર બાદ કર્યો તેમાં કોઈ વિસંવાદ નથી, એ પણ ગણિતરીતિ જ છે. વળી ૨૧૫ની પહેલી પંક્તિ પરસ્પર આંતરા પૂર્વક રહી શકે છે એમ પણ અભ્યન્તરપરિધીના પ્રમાણુ ઉપરથી સ્પષ્ટ થાય છે,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy