SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રસૂર્યનું સ્વરૂપ. ૨૩ જયાર્થ–મનુષ્યક્ષેત્રથી બહાર ચંદ્રસૂર્યની સંખ્યા પૂર્વે કહેલા ત્રિગુણપૂર્વયુક્ત કરણથી થાય છે અથવા બીજા કારણવડે પણ થાય છે. તથા ત્યાં રહેલા તિષીઓ ગતિવાળા નથી પણ અચલ સ્થિર છે, અર્ધ પ્રમાણવાળા છે, અને વિશેષ સુંદર વિમાનવાળા છે ! ૧૮૪ છે વિસ્તરાર્થ–મનુષ્યક્ષેત્ર સુધીના ચદ્રસૂર્યની સંખ્યા જાણવા માટે ૧૮૧ મી ગાથામાં ત્રિગુણપૂર્વયુક્તનું કરણ કહેવાયું છે, તેજ કરણુવડે મનુષ્ય ક્ષેત્રની બહારના ચન્દ્રસૂર્યની સંખ્યા જાણી શકાય છે, અથવા બીજા કેઈ કરણવ પણ સંખ્યા પ્રાપ્ત કરી શકાય છે -અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે-મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂને મનુષ્યક્ષેત્રવત્ સમશ્રેણિવાળા માનીએ તે પૂર્વોક્ત કરણ પ્રમાણે જે સંખ્યા આવે તેટલા જ ચંદ્રસૂર્ય હોય છે, અને જે વલય શ્રેણિએ [ પરિધિ સરખી ગોળાકાર શ્રેણિએ ] રહેલા માનીએ તે બીજા કરણથી ઉપજતી સંખ્યા જેટલા ચંદ્રસૂર્ય હોય છે. ત્યાં સમશ્રેણિના મત પ્રમાણે માનુષોત્તર પર્વતથી બહારના અર્ધા પુષ્કરદ્વીપમાં [ ૮ લાખ જન ] ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય હોવાથી ૩૬-૩૬ ની બે પંક્તિ ચંદ્રની તથા ૩૬-૩૬ ની બે પંક્તિ સૂર્યની તે અંદરના પુષ્કરાઈ સરખી જ હોય. અને જે વલયશ્રેણિ માનીએ તો માનવોત્તર પર્વતથી ૫૦ હજાર જન દૂર પહેલી વંત્તિ છે, તેમાં ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય પરસ્પર અંતરિત [ચંદ્ર-સૂર્ય-ચંદ્ર-સૂર્ય–ચંદ્ર એ રીતે ] રહ્યા છે, ત્યારબાદ ૧ લાખ યેજન દૂર બીજી પંક્તિમાં બે ચંદ્ર બે સૂર્ય અધિક મળીને ૭૪ ચંદ્ર ૭૪ સૂર્ય પરસ્પર અંતરિત રહ્યા છે. એ પ્રમાણે યાવત્ આઠમી પંક્તિમાં ૧૭૨ ચંદ્રસૂર્ય ૧-૧૪૪ [ રહેલા છે, દરેક પંક્તિ લાખ લાખ જનને અન્તરે આવેલી છે. માટે ૨–૧૪૮ પુષ્કરાર્ધથી આગળના દરેક દ્વીપ વા સમુદ્ર જેટલા લાખ એજનને ૩–૧પર હોય ત્યાં તેટલી પંક્તિઓ હોય, જેમકે-પુષ્કર પછીને વારૂણીવરદ્વીપ ૪-૧૫૬ ૬૪ લાખ એજનને છે તે ત્યાં ૬૪ પંક્તિઓ વલયાકારે છે. એ ૫-૧૬૦ ૬-૧૬૪ પ્રમાણે બાહ્યપુષ્કરાર્ધમાં ૮ પંકિતઓમાં સર્વ મળીને ૧૨૬૪ ચંદ્રસૂર્ય ૭–૧૬૮ ) સમુદિત હોવાથી ૬૩૨ ચંદ્ર અને ૬૩૨ સુર્ય છે. આ પ્રમાણે દરેક ૮-૧૭૨ ] પંક્તિમાં આગળ આગળ બે ચંદ્ર બે સૂર્યને વધારે કરે એજ બીજું ૧૨૬૪ વલયપંક્તિને અનુસારે જાણવું. અને એ રીતે મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યો માટે શાસ્ત્રમાં બે અભિપ્રાય મળવાથી કંઈ પણ નિર્ણય કહી શકાય નહિ. તથા બહારના ચંદ્રસૂર્ય સ્થિર હોવાથી જ્યાં રાત્રિ ત્યાં સદાકાળ રાત્રિ અને જ્યાં પ્રકાશ ત્યાં સદાકાળ પ્રકાશ જ હોય છે. તથા મનુષ્યક્ષેત્રના જ્યોતિષીઓનાં વિમાનથી બહારનાં ચંદ્રસૂર્યાદિનાં વિમાન અર્ધ પ્રમાણમાં છે, જેથી ચંદ્રનું વિમાન એક એજનના એકસઠીયા ૨૮ ભાગનું સૂર્યનું ૨૪ ભાગનું ગ્રહનું ૧ ગાઉનું નક્ષત્રનું ૦ ગાઉનું અને તારાનું પાંચસો ધનુષ્ય પ્રમાણુનું છે, તથા મનુષ્યક્ષેત્રના જ્યોતિવીઓ અર્ધ કવિઠા કેડું) ફળ [ અર્ધઘનગળના] આકારે છે, અને બહારના જ્યોતિ
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy