________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત.
વર્ષધર પર્વતની ઉચાઈ અને વસ્તુ છે બહારના બે પર્વતો એટલે લઘુહિમવંત પર્વત અને શિખરી પર્વત તે સે જન ઉંચા અને સુવર્ણના પીતવર્ણના છે. તથા મધ્યના એટલે બે પર્વતની વચ્ચેના બે પર્વતે (અર્થાત્ લઘુ હિમવંત અને નિષધ એ બેની મધ્યમાં આવેલ મહાહિમવાન પર્વત, તથા શિખરી અને નીલવંત એ બેની વચ્ચે આવેલ રૂફમી પર્વત, એ પ્રમાણે એ બે મધ્ય પર્વતો બસો યોજન ઊંચા છે. અને સોના રૂપાના છે, એટલે મહાહિમવંત પર્વત સુવર્ણનો છે, અને રૂમી પર્વત રૂપનો છે. શ્રી જંબદ્વીપપ્રાપ્તિમાં મહાહિમવંતને સર્વરનમય કહેલું હોવાથી વેતવર્ણન ગ છે, પરંતુ બૃહત્સંત્રસમાસવૃત્તિ આદિમાં પીળા સુવર્ણન કહે છે, તે કારણથી જંબૂદ્વીપના નકશાઓમાં પણ એ પર્વતને પીળા વર્ણથી ચિતરેલો હોય છે. તથા અભ્યન્તરના એટલે એ પર્વ તેમાં અંદર ભાગે રહેલા નિષધ અને નીલવંત એ બે પર્વત ચારસો જન ઉંચા છે, તથા નિષધ લાલવર્ણન તપનીય જાતિના સુવર્ણનો છે, અને નીલવંત પર્વત લીલા વર્ણના વૈડૂર્યરત્નને એટલે પાનાને છે. એ
એ પર્વતની જે ઉંચાઈ કહી તે જમીનથી ગણવી, પરંતુ પર્વતના મૂળમાંથી ન ગણવી, કારણ કે મેરૂ સિવાયના અઢીદ્વીપવતી સર્વ પર્વતે ઉંચાઈના ચોથા ભાગ જેટલા જમીનમાં પણ ઉંડા દટાયેલા છે, જેથી મૂળમાંથી ગણતાં સો જન ઉંચાઈવાળે પર્વત સવાસો જન ઉંચો થાય અને ચારસો જળવાળા પર્વત પાંચસો જન ઉંચો થાય છે, પુનઃ એ પર્વતના શિખરની ઉંચાઈ એથી પણ જૂદી ગણવી, અને એ છએ વર્ષધર પર્વત ઉપર પાંચસો પાંચસો જન ઊંચાં મહાન શિખરો છે, જેથી શિખરની ટોચ સુધી ગણતાં સો જન ઉંચાઈવાળ પર્વત મૂળ અને શિખર સહિત સવાછો એજનનો થાય છે.
આ વર્ષધર પર્વત ઉપરાન્ત બીજા કોઈપણ શાશ્વત પર્વત ઉપર મનુષ્ય ચઢી શકે એવા માર્ગ નથી, માટે દેવની સહાય વિના મનુષ્યથી ઉપર ન જઈ શકાય, એટલું જ નહિં, પરંતુ પર્વતની પાસે પણ જઈ શકાય તેમ નથી, કારણકે વચમાં વેદિકા આડી આવે છે, અને વેદિકા બે ગાઉ સીધી ઉંચી હોવાથી ઉલ્લંઘી શકાય નહિં. ૨૫ છે -