SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપા. યશેવિકૃત ઉત્તરપક્ષ :-ચ્ચેનો પ્રસિદ્ધ અર્થ લેવામાં ઉપરોક્ત સૂત્રમાં જણાવેલું ત્રિવિધ ધ્યાન અસંગત થાય છે. એને સંગત કરવું એ જ શું એના અર્થાન્તરની કલ્પના કરવામાં પ્રયોજન તરીકે તમે માનતા નથી? - . પૂર્વપક્ષ –ના, એવા સૂત્રસમાધાનને અમે પ્રયજન માનતા નથી. કેિવલીને કાયનિરોધરૂપ ધ્યાન માનવું આવશ્યક]. ઉત્તરપક્ષ :-એનો અર્થ એ થયો કે એ આગમ અસંગત રહે તે પણ તમને વાંધો નથી. એટલે કે એ આગમ તમને માન્ય નથી અને તેથી તમે નાસ્તિક છે એમ ફલિત થયું કારણ કે નાસ્તિકે આગમને પ્રમાણ તરીકે માનતા નથી. વળી આવી નાસ્તિકતા સ્વીકારીને પણ તમારા છૂટકારે નથી કારણ કે કેવળીઓને કાયતિરોધાત્મક ધ્યાન હેવાનું તમે પણ માન્યું જ છે. તેને સંગત કરવા “દહૈ” ને જુદો અર્થ કર્યા સિવાય તમારે પણ બીજે ક રસ્તે શરણભૂત છે એ એકાંતમાં વિચારો, કારણ કે કેવળીઓને મન ન હોવાથી “Àને ચિંતનાત્મક પ્રસિદ્ધ અર્થ પણ હેતું નથી. અર્થાત્ તમારે પણ “શૈ” ના કાયિક પ્રવૃજ્યાદિરૂપ અન્ય અર્થની કલ્પના કરવી જ પડશે અને તેથી સૂત્રોક્ત વિવિધ ધ્યાન પણ સંગત થઈ જવાથી જ્યણા પણ વિવિધધ્યાનરૂપે સિદ્ધ થઈ જશે જેથી પછી એને ધ્યાનવિરોધી કહેવાશે નહિ. તેથી જ તે શાસ્ત્રમાં પરિભાષા કરી છે કે –“કરણે (=મન, વચન અને કાયા) ના સુદઢ પ્રયત્નનું વ્યાપારણ (=પ્રવૃત્તિઓ અને વિદ્યમાન મન-વચન-કાયાને નિરોધ એ બને ધ્યાનરૂપ છે. ચિત્તને નિરોધ કરવો એ જ ધ્યાન છે એવું એકાતું નથી.” અહીં કરણને સુદઢ પ્રયત્ન એટલે પ્રમાદ કે ચંચળતા વિનાની પ્રવૃત્તિ. કિવલીને સતત ધ્યાને લેવાની આપત્તિને પ્રત્યુત્તર] પૂર્વપક્ષ –છદ્મસ્થ સંયતના સુદઢ કાયપ્રયત્નને પણ જે ધ્યાનરૂપે સ્વીકારશો તો કેવળીઓને પણ દેશનપૂર્વ કેટિ વર્ષ સુધી સતત ધ્યાન માનવું પડશે કારણ કે તેઓને તે સઘળો પ્રયત્ન પરમ અપ્રમત્ત ભાવપૂર્વકને જ હોય છે. ઉત્તરપક્ષ –કાયિક ધ્યાન બે પ્રકારનું છે(૧) વ્યાવહારિક :- પ્રતિક્રમણાદિ આવશ્યકમાં ચંચળતા વિનાની પ્રવૃત્તિ કરવા રૂપ. આ સિવાય કાયાને સુદઢ પ્રયત્ન હોય તે પણ તેને ધ્યાન કહેવાતું નથી. (૨) નશ્ચયિક –અત્યંત કાયāય. કેવળીઓને પડિલેહણાદિ આવશ્યક ન હોવાથી વ્યાવહારિક ધ્યાન હેતું નથી તેમજ કામણશરીરનો વેગ હોવાના કારણે ચલપકરણુતા (આત્મપ્રદેશનું કંપન) હોવાથી કઈને કઈ ચોગ તે પ્રવર્યા જ કરે છે તેથી અત્યંત કાયસ્થય ન હોવાથી નૈશ્ચયિક ધ્યાન પણ હોતું નથી. ૮
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy