SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૩ कः पुनरस्याधिकार इति चेत् ? क्षान्तिमार्दवार्जवाऽनीहासु क्रोधमानमायालोभविजयोपायेषु प्रवृत्तिरिति गृहाण । क्षान्त्यादयश्च क्रोधादिप्रतिपक्षा जीवपरिणामा एवेति न क्रोधाभावादिरूपतया तेषां कश्चन दोष उद्भावनीयः। कषायविजये चेन्द्रियविजयोऽपि हेतुः, समकालभाविनोरपि તયો કલીપ રાવિ દેતુતુદ્ધાવાન્ ચિવિજય મનશુદ્ધયા, સા ર હેરસાવિરૂદ્ધયા, (मनसो निर्मलत्वं) ताश्च सकलकर्मप्रकृतिनिष्यन्दभूतकृष्णादिद्रव्यसाचिव्यादात्मनोऽशुद्धतमाsशुद्धतराऽशुद्ध-शुद्ध-शुद्धतर-शुद्धतमपरिणामरूपाः, भावनाहेतुकनिर्ममत्वहेतुकसाम्यहेतुकरागद्वेषजयेन वा मनसो विशुद्धिरित्येवं परिपाटी । तदेवमनया दिशा लब्धाधिकारस्यात्मनः क्रिया परं = नामादिवयमतिशयानं भावाध्यात्म भण्यते । । અનાદિકાળથી કર્મથી અત્યંત જકડાયેલે જીવ કષાય અને વિષયોને વશ થઈને સતત પ્રવૃત્તિઓ કર્યા કરે છે. આ પ્રવૃત્તિઓના કારણે તેની શક્તિઓ કુંઠિત હોય છે. તેથી તે તે પિતાની સ્વભાવસિદ્ધ ક્રિયા માટેનો અધિકાર બજાવી શકતો નથી પણ કર્મને જ અધિકાર તેના પર ચાલતો હોય છે. જેમ ધૂળ-માટી વગેરે દ્રવ્યથી મલીન એવું કાચું સુવર્ણ પોતાના સ્વાભાવિક ચળકાટ આદિને પ્રકટ કરવામાં સમર્થ હતું નથી તેમ કષાય અને વિષયમાં જ વ્યગ્ર રહેતે જીવ કર્મને આધીન હોવાથી પોતાની સ્વભાવભૂત ક્રિયાને પ્રકટ કરી શક્તો નથી. એટલે કે તેટલા કાળ સુધી તેની સ્વભાવ સિદ્ધક્રિયા (=અધ્યાત્મ) હેતી નથી. પરંતુ જ્યારે (ચરમાવર્તીદિ પ્રાપ્ત થયે) કષાય અને ઈન્દ્રિયો પર વિજય મેળવવાને પુરૂષાર્થ કરતો જીવ કર્મની ઉપરવટ થઈને પોતાને અધિકાર ચલાવવા માંડે છે, અર્થાત્ આત્મહિતને અનુલક્ષીને જ સવ કાર્યમાં પ્રવર્તવાના ધ્યેયવાળો બની જાય છે ત્યારે પ્રચંડ અગ્નિથી નિર્મળ થયેલા સેનાને ચળકાટ જેમ પ્રગટ થાય છે તેમ જીવની સ્વભાવસિદ્ધ ક્રિયા પણ પ્રકટ થાય છે, કે જે ભાવ અધ્યાત્મ છે. સ્વભાવસિદ્ધ ક્રિયાના પ્રગટીકરણને ભાવ એ છે કે સ્વભાવમાં જ અંતર્ભત રહેલા કાળ-પુરુષાર્થાદિ પરિપક્વ થઈને અધ્યાત્મસ્વરૂપ ક્રિયાને આવિર્ભાવ આમ કાળ પાયા પછી પુરૂષાર્થીદિથી અધ્યાત્મ સિદ્ધ થતું હોવાનો સિદ્ધાન્ત હેઈ “વસ્તુના તેવા તેવા સ્વભાવથી જ તે તે વખતે તેવી તેવી ભિન્ન ક્રિયાઓ થાય છે અર્થાત જગદૈચિત્ર્યમાં કેવલ વસ્તુઓને તે તે સ્વભાવ જ નિમિત્ત છે.” એવા અભિપ્રાયવાળ કેવળ સ્વભાવવાદ નિરસ્ત જાણવો. કારણ કે જીવસ્વભાવ મુખ્ય હોવા છતાં (પોતાના જ અંશમૂત એવા) કાળ-પુરૂષાર્થાદિ પણ તે તે કિયાને પ્રકટ કરવામાં ગૌણરૂપે સહકારી બને જ છે એવું હમણાં જ અમે જણાવી ગયા છીએ.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy