________________
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૮૯
"; “અનુવેરની સુd, રિવેની રૂત્યુપક્ષળે, ન તુ રુક્ષ, સમपूजाऽपमानानां समसंसारमोक्षाणां चाऽप्रमत्तयतीनां सुखदुःखयोरव्याप्तेः, न हि ते सुखमनुकूलत्वेन दुःख' च प्रतिकूलत्वेन वेदयन्ति, इच्छाद्वेषविषयत्वयोरेव तदर्थत्वात् । 'तथाविधवेदनयोग्यते एव तल्लक्षणे' इति चेत् ? अहो केवलिसुखदुःखयोरपि तदबाधात् , अनुकूलत्वाद्यप्रतिसन्धानेऽपि सुखादिसाक्षात्कारात्तत्साक्षिकजातिगर्भ मेव लक्षणमित्यन्ये । एतेन निरुपाधिकेच्छाविषयत्वनिरुपाधिकद्वेषविषयत्वलक्षणयोरपि तत्सुखदुःखयोरसंभवो दूषणमिति परास्तम् । ॥८९|| પ્રતિકૂલ રૂપે જ વેદાય એવો એકાન્ત નથી કારણ કે અપ્રમત્તયતિઓ તે બેને અનુકળ કે પ્રતિકૂળ તરીકે જતાં હતાં નથી.
[ અનુફલાવેદનીયત્વ સુખનું ઉપલક્ષણ છે ] અલક્ષ્યમાં ન જ રહેનાર અને લક્ષ્યમાત્રમાં રહેનાર એ જે ધર્મ ઓળખાણ તરીકે અપાય છે તે લક્ષણ કહેવાય છે. એટલેકે લક્ષણ, લક્ષ્યમાત્રમાં વ્યાપ્ત હોય છે. લયના એક દેશમાં ન રહેનાર એવો પણ ઈતરદેશમાં રહેલ જે ધર્મ ઓળખાણ તરીકે અપાય છે. એ ઉપલક્ષણ કહેવાય છે. અર્થાત્ ઉપલક્ષણ, લક્ષ્યમાત્રમાં વ્યાપ્ત હોતું નથી. જેમકે કેઈ ઓળખાણ આપતાં કહે કે-જે મકાન પર કાગડે બેઠે છે તે દેવદત્તનું ઘર છે તે અહીં કાગડો કંઈ દેવદત્તગૃહનું લક્ષણ નથી, ઉપલક્ષણ છે. એમ અનુકૂલવેદનીયત્વ સુખના અને પ્રતિકુવેદનીય દુઃખના લક્ષણભૂત નથી પણ ઉપલક્ષણભૂત છે. કારણકે પૂજારૂપ સુખ કે અપમાન રૂપ દુઃખ અથવા મેક્ષાત્મક સુખ કે સંસારાત્મક દુઃખ જેઓને મન સમાન છે તેવા અપ્રમત્તયતિઓને પ્રાપ્ત થતાં સુખદુઃખમાં એ ધર્મો અવ્યાપ્ત છે. અપ્રમત્તયતિએ કંઈ સુખને અનુકૂલ રૂપે કે દુઃખને પ્રતિકૂલ રૂપે જોતાં નથી. ઉલટું, ઉપસર્ગાદિ રૂપ દુઃખ આવતાં કર્મ ખપાવવાને અવસર જાણ મહાત્માઓ આનંદિત બને છે. એવું શાસ્ત્રોમાં સાંભળવા મળે છે. જે વસ્તુ ઈચ્છાને રાગને વિષય હોય અર્થાત્ જેને રાગ હોય તે જ અનુકુલ રૂપે વેદાય છે, અને એમ જે વસ્તુ છેષનો વિષય હોય તે જ પ્રતિકૂલ રૂપે અનુભવાય છે. અપ્રમત્તયતિએને પૂજા-અપમાનાદિ પર રાગ કે દ્વેષ ન હોવાથી એ તે તે રૂપે વેદાતા નથી, આમ “પ્રતિકૂળવેદન' દુઃખના ઉપલક્ષણરૂપ હોવાથી કેવળીઓને પ્રતિકૂળરૂપે કોઈનું વેદન ન હોવા છતાં દુઃખ હોવામાં કઈ બાધક નથી.
- પૂર્વપક્ષ – જે સુખ હેય તે અનુકૂલ રૂપે જ વેદાવું જોઈએ એવું અમે કહેતા નથી પણ તે અનુકૂળરૂપે વેદાવાને યોગ્ય તે હોય જ એવું અમે કહીએ છીએ. એમ જે પ્રતિકુળરૂપે વેદાવાને યોગ્ય હોય તે દુઃખ–એવું અમે કહીએ છીએ. અપ્રમત્તયતિ ભલે પૂજા-અપમાન વગેરેને તે તે રીતે વેદતાં નથી, છતાં પૂજાદિમાં તે તે