________________
ܘܬܵܪܵ
અધ્યાત્મમત પરીક્ષા
, ૬૨
अहिया जइ तुह किरिया अहियं नाणंपि तस्स हेउत्ति ।
कारणगुणाणुरूवा कज्जगुणा व विवरीया ॥६२॥ (अधिका यदि तव क्रिया अधिक ज्ञानमपि तस्य हेतुरिति । कारणगुणानुरूपाः कार्याणा व विपरीताः ॥६२॥)
यदि हि युक्तिकलापेन भवताऽतिशयवती क्रिया व्यवस्थापिता तर्हि सैव भगवती स्वकारण ज्ञानमतिशयितमाह । 'स्वापेक्षया तस्यातिशयोऽस्तु न तु स्वकार्यापेक्षयेति' चेत् ? न, 'दासेण मे खरो कीओ दासो वि मे खरोवि मे।' इति न्या यात स्वकार्यकार्यस्यापि स्वकार्यत्वाविशेषात् । अस्तु वोक्तातिशयशालिकार्यकत्वलक्षणः पारिभाषिक एक विशेषः । यथाहिमृत्तिकाऽपान्तरालवतिपिंडशिवककुसूलादीनि जनयन्ती न घट' प्रति मुख्यकारणतां जहाति, तथा ज्ञानमायान्तरालिक सर्वसवर जनयन् मोक्ष प्रति तथेति तत्त्वम् । अपि च यथा मन्त्रानुस्मरणात् केवलादेव फल दृश्यते तथा मोक्षोऽपि ज्ञानादेवेति तस्य मुख्यत्वम् ।।६।।
[ચારિત્રને જ અતિશયિત કહેવું અયુક્ત-વ્યવહારવાદી ગાથાથઃ જે તમને કિયા અધિક=અતિશયવાળી હવા રૂપે માન્ય હોય તે પણ તેને કારણભૂત હોવાથી જ્ઞાનને પણ અધિક માનવું જ પડશે. કારણ કે કાર્યગુણો કારણ ગુણોને અનુરૂપ હોય છે, વિપરીત નહિ. તેથી જે કિયા અતિશયવાળી હોય તો કારણમાં પણ અતિશય માનવો પડતો હોવાથી “ચારિત્રમાં (પૂર્વોક્ત) ઉત્કર્ષ હોવાથી એ જ વિશેષિત છે” એવું કથન અયુક્ત છે.
વ્યવહારવાદી -ઉપરોક્ત યુક્તિઓથી જે તમે કિયાને જ અતિશયવાળી સ્થાપિત કરતા હો તો અમે કહીએ છીએ કે જ્ઞાન પણ અતિશયવાળું છે. કારણ કે કાર્યગુણે કારણગુણોને અનુરૂપ હોય છે. તેથી જે કાર્યમાં અતિશય હોય તે કારણમાં પણ અતિશય માન જ પડે.
પ્રશ્ન :-જ્ઞાન ક્રિયાનું કારણ હોવાથી તેમાં ક્રિયાની અપેક્ષાએ ભલે અતિશય હોય, પરંતુ ક્રિયાના કાર્ય ભૂત મેક્ષની અપેક્ષાએ કંઈ તેમાં અતિશય હેતું નથી. અર્થાત્ અતિશયિત ક્રિયાની પ્રાપ્તિ માટે જ્ઞાનમાં તેને અનુરૂપ અતિશય ભલે માનવ પડે, પણ માક્ષાત્મક કાર્ય માટે જે અતિશય આવશ્યક છે તે તે કારણભૂત કિયામાં જ માન પડે છે, જ્ઞાનમાં નહિ તેથી કિયા જ અતિશયિત છે, જ્ઞાન નહિ.
ઉત્તર : “નેકર મારો હોવાથી તેણે ખરીદેલ ગધેડે પણ મારે છે, એવા ન્યાય મુજબ પોતાના કાર્યનું કાર્ય પણ પોતાનું જ કાર્ય બની જતું હોવાથી મોક્ષ પણ જ્ઞાનનું પોતાનું જ કાર્ય છે અને તેથી જ્ઞાનમાં પણ મેક્ષાનુકૂલ અતિશય માનવો જ પડે. અથવા પૂર્વે કહી ગયા એવા અતિશયવાળા કાર્યનું પોતે કારણ છે. આવું કારણ હોવાપણું જ જ્ઞાનને પારિભાષિક વિશેષ=અતિશય છે, તેથી જ્ઞાન જ પ્રધાન છે. વળી માટી વચલી અવસ્થામાં જેમ પિંડ, શિવક, કુસૂલાદિને ઉત્પન્ન કરતી હોવા છતાં १. दासेन मे खरः क्रीतो दासोऽपि मे खरोऽपि मे ।