SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર द्रव्यकर्मबन्ध इति चेत् ? आत्मनो रागद्वेषरूप भावकम निमित्तीकृत्य योगद्वारा निविशमानानां स्वत एवोपात्तवैचित्र्याणां ज्ञानावरणादिभावपरिणतेरुपचारात् इति गृहाण । तस्मात् पुण्यपापपरिणामादेवात्मनो बन्धस्तत्तत्कर्मणां तत्तद्विपाककाले च सुखदुःखरूप फलमपीति स्थितम् । જીવ આ બેમાંથી અન્યતર સ્વપરિણામને જ ધારણ કરે છે, પર પરિણામને ધારણ કરતા નથી. પ્રશ્ન :-કાશ્મણવગણના જે પુદગલે આકાશમાં રહેલા છે તેમાં તે જીવને અસર કરવાને પરિણામ હેતે નથી. કિન્તુ જ્યારે મિથ્યાત્વાદિના કારણે જીવ તેઓને બાંધે છે ત્યારે જ જીવ ઉપર અસર કરી શકે તેવો તેઓનો કર્મવરૂ૫સામાન્ય પરિણામ અને જ્ઞાન આવારકત્વાદિસ્થ વિશેષ પરિણામ ઊભું થાય છે. તેઓને આ પરિણામ જીવે જ ઊભો કર્યો હોય છે તો જીવ, પર પરિણામ કરતો નથી એવું શી રીતે કહી શકાય? [ જીવ કામણવગણના પુદ્ગલેનું પણ ગ્રહણ કરતો નથી.] ઉત્તર : તમારો પ્રશ્ન અયુક્ત છે. જીવ જે આકાશ પ્રદેશને અવગાહીને રહ્યો હોય છે તે આકાશ પ્રદેશમાં રહેલા કામણવર્ગણદિના પુદ્ગલોનું પણ, અમે આગળ કહી ગયા એ મુજબ, તેઓ જીવના સ્વદ્રવ્યભૂત ન હોવાથી, જીવ દ્વારા ગ્રહણદાન થઈ શકતું નથી. આમ તે પુદગલ છવદ્વારા થતા ઉપાદાન, હાન ને અાગ્ય હોવાથી જીવ વડે કરાતી ક્રિયાના કર્મ (=દ્વિતીયાકારક) બનતા નથી કારણ કે વ્યાકરણશાસ્ત્રમાં કહ્યા મુજબ સ્વતંત્ર કર્તા વડે જે પ્રાપ્ત થવા ગ્ય હોય તે જ કર્મ કહેવાય છે. જ્યારે આ મુદ્દગલે તો પરદ્રવ્યભૂત હોવાના કારણે જીવથી ક્યારે પ્રાપ્ત=સ્વીકૃત=સ્વ જેવા કરાતા નથી. આમ પુદ્દગલો જીવની ક્રિયાના કર્મ બનતા નથી અર્થાત્ જીવ તેઓ વિશે કેઈ ક્રિયા કરી શકતો નથી. અને તેથી તેઓના પરિણામને પણ કરતો નથી. પ્રશ્ન :-જે જીવ “પર” એવા કર્મ પુદગલોના જ્ઞાનાવારકત્વાદિરૂપ પરિણામને કરતે નથી તે એ કર્મ પુદ્દગલ દ્રવ્યોને જ્ઞાનાવરણીયાદિરૂપે બંધ શી રીતે કરી શકશે? અર્થાત્ જેમ જીવની અવગાહનામાં રહેલા કાર્મણથી અન્ય વર્ગણના પુદ્ગલોમાં જીવે તે તે પરિણામ પેદા કર્યો ન હોવાથી એ પુદગલો જીવવડે બંધાએલા કર્મરૂપે ઓળખાતા નથી તેમ જ્ઞાનાવરણીયારિરૂપે અભિમત પુદગલને પણ જે જીવે કઈ પરિણામ કર્યો ન હોય તે તે એ પણ બંધાએલા કર્મ” શી રીતે બનશે? [કમાં થતી વિચિત્રતા છવકૃત હતી નથી] ઉત્તરઃ- જીવ કાર્મણવર્ગણાના તે તે મુદ્દગલોને જ્ઞાનાવરણીયાદિ રૂપે બાંધતો જ નથી, તે તે માત્ર પોતાના રાગદ્વેષાત્મક પરિણામોને જ કરે છે જે ભાવકર્મ કહેવાય છે. જીવવડે કરાતા આવા ભાવકર્મોને નિમિત્તકારણુતરીકે સ્વીકારી કાર્પણ વગણના ૧૭
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy