________________ જિઈનના શ્રાદ્ધવિધિ એટલે શું ? શ્રાદ્ધવિધિ એટલે..... શ્રાવક ધર્મની દીવાદાંડી. છે શ્રાદ્ધવિધિ એટલે.... જૈનકુલના લોકોત્તર ધર્મનું કેન્દ્ર. 0 શ્રાદ્ધવિધિ એટલે... સાચા શ્રાવકનો સુંદર માર્ગ. 0 શ્રાદ્ધવિધિ એટલે.... દેવ-ગુરુ-ધર્મની આરાધનાને વિધિપૂર્વક પ્રતિપાદન કરનાર, શ્રાદ્ધવિધિ એટલે... જૈન તરીકે જીવન જીવવાની અપૂર્વ કળા. છે શ્રાદ્ધવિધિ એટલે..... સંસારમાં બોધિ અને સમાધિ પ્રાપ્ત કરવાનો એક અપૂર્વ માર્ગ. શ્રાદ્ધવિધિ એટલે.... અજ્ઞાનરૂપી અંધકારમાંથી બચવા એક સહસ્ત્રકિરણ. શ્રાદ્ધવિધિ એટલે... શ્રાવકના કર્તવ્યનો માર્ગ. શ્રાદ્ધવિધિ એટલે... શ્રાવક ધર્મની સમાચારી. શ્રાદ્ધવિધિ એટલે.... જડવાદના પ્રવાહથી બચવા એક સુંદર બોધપાઠ. શ્રાદ્ધવિધિ એટલે..... ઘેલછાથી કે અજ્ઞાનથી આચરેલ ભૂલોથી બચાવનાર. શ્રાદ્ધવિધિ એટલે... ધર્મજીવનનો અરૂણોદય.