________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય :
૩૧૭ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તો પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલો વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ જોવો.
દેવસિચપ્રતિક્રમણનો વિધિ પ્રતિક્રમણ કરવાનો વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્યકૃત ગાથાઓ કહેલી છે, તે ઉપરથી ધારવો. તે નીચે પ્રમાણે છે :
આ મનુષ્યભવમાં સાધુઓ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરુની સાથે અથવા ગુરુનો યોગ ન હોય તો એકલાએ અવશ્ય કરવું.
૧. ચૈત્યવંદન કરી ચાર ભગવાનાં પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનો મિચ્છામિ દુક્કડં દેવો. ૨.
પ્રમથ સામાયિક ફુચ્છામિ કામિ કિસ્સ ઈત્યાદિ સૂત્ર બોલવું અને પછી ભૂજાઓ તથા કોણી લાંબી કરી. રજોહરણ અથવા ચરવળો તથા મુહપત્તિ હાથમાં રાખી ઘોડગ વગેરે દોષ ટાળી કાઉસ્સગ્ગ કરે. તે વખતે પહેરેલો ચોળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચો હોવો જોઈએ. (૩-૪) કાઉસ્સગ્ન કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી નવકારવડે કાઉસ્સગ્ન પારી લોગસ્સ કહેવો. ૫.
સંડાસક પૂંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભૂજાઓ કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીસ પચ્ચીશ પડિલેહણા કરવી. ઉઠી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરુને વંદના કરવી, તેમાં બત્રીશ દોષ ટાળવા અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યફ પ્રકારે શરીર નમાવી, બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઈ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૬-૭-૮)
પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કહે. તે પછી ઉઠીને ‘મભુડ્રિગોષ્ઠિ' વગેરે પાઠ વિધિપૂર્વક કહે. ૯. પછી વાંદણાં દઈ પાંચ આદિ યતિઓ હોય તો ત્રણ વાર ખમાવે પછી વાંદણા દઈ માયરિય ઈત્યાદિ ત્રણ ગાથાનો પાઠ કહે. ૧૦. આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રનો પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાઉસ્સગ્ન કરી બે લોગસ્સ ચિંતવવા. ૧૧. પછી યથાવિધિ કાઉસ્સગ્ગ પારીને સમ્યક્ત્વની શુદ્ધિને અર્થે પ્રગટ લોગસ્સ કહે તેમજ સર્વલોકને વિષે રહેલાં અરિહંત ચૈત્યોની આરાધનાને માટે કાઉસ્સગ્ન કરી તેમાં એક લોગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ્ગ પારે તે પછી શ્રુતશુદ્ધિને માટે પુફખરવરદી કહે. (૧૨-૧૩)
પછી પચ્ચીશ ઉવાસનો કાઉસ્સગ્ન કરે અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માનો સ્તવ કહે. ૧૪. પછી શ્રુતસમૃદ્ધિને અર્થે શ્રુતદેવીનો કાઉસ્સગ્ન કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રુતદેવીની થોય સાંભળે અથવા પોતે કહે. ૧૫. એ જ રીતે