SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનનૃત્યપ્રકાશ એ મંત્રી આદિનાં કામો ઘણાં પાપમય છે અને પરિણામે કડવાં છે માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્લ્ડવાં. કહ્યું છે કે-જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં. જુઓ ધોબી પોતાના પહેરવાનાં વસ્ત્ર વેચાતાં લઈને પહેરે છે કે શું ? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. શ્રાવકે કેવાં રાજકાર્ય તત્ત્વાં ? ૨૦૭ હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે તો પણ ગુપ્તિવાળા, કોટવાલ, સીમાપાળ વગેરેના અધિકાર તો ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકે-તલા૨, કોટવાળ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કોઈ માણસને સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત્ કોઈ શ્રાવક સ્વીકારે તો તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની જેમ શ્રાવકોના સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા. કેમકે જે માણસોએ પાપમય એવા રાજકાર્યો કરવા છતાં તેની સાથે ધર્મનાં કૃત્યો કરીને પુણ્ય ઉપાર્જ્ડ નહિ તે માણસોને દ્રવ્યને અર્થે ધૂળ ધોનારા લોકો કરતાં પણ હું મૂઢ જાણું છું. પોતાની ઉ૫૨ રાજાની ઘણી કૃપા હોય તો પણ તે શાશ્વતપણું ધારી રાજાના કોઈ પણ માણસને કોપાવવો નહીં, તથા રાજા આપણને કાંઈ કાર્ય કરવા સોંપે તો રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવક રાજાની જકરવી, એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એવો હું કોઈ શ્રાવકને ઘેર ભલે દાસ થાઉં. મિથ્યાત્વથી મોહિત મતિવાળો રાજા કે ચક્રવર્તી ન થાઉં, હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તો સમકિતના પચ્ચક્ખાણમાં "વિત્તીકંતારેણં” એવો આગાર રાખ્યો છે, તેથી કોઈ શ્રાવક જો મિથ્યાદષ્ટિની સેવા કરે, તો પણ તેણે પોતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે થોડો પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાનો યોગ મળે, તો મિથ્યાર્દષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે. ભિક્ષા સોનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર, ઈત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે-હે ભગવતી ભિક્ષે ! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કલ્પવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે. કેમકે માણસ જ્યાં સુધી મોઢેથી "આપો" એમ બોલે નહીં, એટલે માગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજ્જા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં હલકું છે, રૂ તૃણ કરતાં હલકું છે, અને યાચક તો રૂ કરતાં પણ હલકો છે, ત્યારે એને પવન કેમ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy