________________
ૐ અહં નમઃ तपोगच्छगगननभोमणि-श्रीरत्नशेखरसूरिविरचित
શ્રાદ્ધવિધિ પ્રકરણ
(સ્વોપજ્ઞ-વિધિકૌમુદી-ટીકાના)
ભાષાન્તર સહિત ટીકાકારનું મંગલાચરણ
(શાર્દૂવિડિતવૃત્તમ) अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्टाः प्रतिष्ठास्पदं, पंच श्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्चैर्गरिष्ठात्मताम् । वैधान पंच सुपर्वणां शिखरिणः प्रोद्दाममाहात्म्यत
श्वेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ||१|| જેઓ અપૂર્વ-માહાભ્યથી અને મનોવાંચ્છિતનાં દાનથી; એમ બન્ને પ્રકારે વિદ્વાનોને હંમેશાં પાંચ જાતના કલ્પવૃક્ષોની યાદ દેવરાવે છે, તે શ્રી અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ઠિઓ ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ)ને આપો.
(માર્યાવૃત્તમ). श्रीवीरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च ।
विवृणोमि स्वोपज्ञ -'श्राद्धविधिप्रकरणं' किचित् ||२|| શ્રી ગૌતમાદિ ગણધરો સહિત શ્રી વીર પ્રભુને, જિનવચનને અને સગુરુઓને પ્રણમીને સ્વ-રચિત "શ્રાદ્ધવિધિ” પ્રકરણનું સ્વલ્પ વિવેચન કરું છું.
ટીકા કરવાનું પ્રયોજન
(સાવૃત્તમ) युगवरतपागणाधिपपूज्यश्री सोमसुन्दरगुरूणाम् ।
वचनादधिगततत्त्वः, सत्त्वहितार्थं प्रवर्तेऽहम् ||३|| યુગપ્રધાન એવા તપાગચ્છના નાયક પૂજ્ય શ્રી સોમસુંદર ગુરુના વચનથી તત્ત્વને જાણીને ભવ્ય પ્રાણીના હિતને માટે આ ગ્રંથની રચના માટે)નો હું પ્રયત્ન કરું છું.