SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ अमुल्यग्रेण यज्जप्तं, यज्जप्तं मेरालङ्घने ॥ व्यग्रचित्तेन यज्जप्तं, तत्प्रायोऽपफलं भवेत् ।।१।। આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનાર હોય છે. संकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः | મૌનનાનાનસ: શ્રેષ્ઠો, નાપ: ધ્યપુરઃ પરઃ ||રા ઘણા માણસ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકાંતે કરવો શ્રેયસ્કારી છે. બોલતા જાપ કરવા કરતાં મૌન જાપ કરવો શ્રેયસ્કર છે. મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર છે. એમ એક એકથી અધિક ફળદાયી છે. जापश्रान्तो विशेद्धयानं, ध्यानश्रान्तो विशेज्जपम् । द्वाभ्यां श्रान्तः पठेत्स्तोत्र-मित्येवं गुरुभिः स्मृतम् ||३|| જાપ કરતાં થાકે તો ધ્યાન કરે, ધ્યાન કરતાં થાકે તો જાપ કરે, અને બન્નેથી થાકે તો સ્તોત્ર ગણે-એમ ગુરુએ કહેલું છે. શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે કરેલી પ્રતિષ્ઠા-પદ્ધતિમાં કહ્યું છે કે : જાપ ત્રણ પ્રકારના છે. ૧. માનસજાપ ૨. ઉપાંશુજાપ, ૩. ભાષ્યજાપ. માનસજાપ એટલે મૌનપણે પોતાના મનમાં જ વિચારણારૂપ જાપ, ઉપાંશુ જાપ એટલે બીજો કોઈ સાંભળી ન શકે પણ અંતર્જલ્પરૂપ અંદરથી બોલતો હોય એવો) જાપ અને ભાષ્યજાપ એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આ ત્રણ પ્રકારનાં જાપમાં ભાષ્યથી ઉપાંશુ અધિક અને ઉપાંશુથી માનસ અધિક છે. એવી જ રીતે તે શાંતિક પૌષ્ટિક આકર્ષણાદિક કાર્યોની સિદ્ધિ કરાવે છે. માનસજાપ ઘણા પ્રયત્નોથી સાધી શકાય એવો છે. અને ભાષ્યજાપ સંપૂર્ણ ફળ આપી શકતો નથી માટે ઉપાંશુ જાપ સહેલાઈથી બની શકે એવો હોવાને લીધે તે કરવામાં ઉદ્યમ કરવો શ્રેયકારી છે. નવકારની પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે યોગપ્રકાશના આઠમા પ્રકાશમાં કહેલું છે કે : गुरुपंचकनामोत्था, विद्या स्यात् षोडशाक्षरा । जपनशतद्वयं तस्याश्चतुर्थस्याप्नुयात्फलम् । "અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવઝાય, સાહૂ એ સોળ અક્ષરની વિદ્યા બસોવાર જપે તો એક ઉપવાસનું ફળ પામે છે. शतानि त्रीणि षड्वर्ण, चत्वारि चतुरक्षरम् । पंचाऽवणं जपन योगी, चतुर्थफलमश्नुते ||२||
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy