SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શીલેાદેશમાલા ગ્રંથના બણારૂપી દિનાથી ઢાંકી દીધા. યાદવાની સેનાને આ પ્રમાણે જરાસંધથી છૂટી છવાયી કરાયેલી અને મ્યાનમુખવાળી જોઈને માલિ સારથિએ શ્રી નેમિકુમારને કહ્યું: હું સ્વામિન્ ! આપની એ ભુજાએ સંપૂર્ણ લેાકનુ રક્ષણ કરવા સમર્થ છે. તેથી યાદવાને નિચપણે હણુતા જરાસંધની ઉપેક્ષા નહિ કરવી જોઈએ. યદ્યપિ આપ તૃણુમાં અને શ્રીવૃન્દમાં, પેાતાનામાં અને પારકામાં સમભાવવાળા છે, તેા પણ હે નાથ ! હમણાં નાથરહિત બનેલા પુલના ઉદ્ધાર કરો. જુએ, વિશ્વ ઉપર ઉપકાર કરનાર પણ સૂ કૈરવાને (=ચંદ્રવિકાસી કમળાને) સંકેાચીને પેાતાના ખંધુ પદ્મવનના શું વિકાસ કરતા નથી ? વળી આ શત્રુએ આપની અવજ્ઞા ન કરે અને આપની ભુજાનુ ખલ જીએ એ માટે આપ શસ્ત્રને ગ્રહણ કરા અને યદુકુળને પ્રકાશિત કરો. આ પ્રમાણે સાંભળીને અને પેાતાનું નામ સાર્થક કરવા માટે શ્રી નેમિકુમારે હાથથી આલ્ફાલન કરીને ધનુષ્ય લીધું. ધારાબદ્ધ પાણીરૂપી ખાણુસમૂહથી રાજાએરૂપી હંસાને તમાલવૃક્ષના પત્ર જેવા શ્યામ કરતા નેમિરૂપી વર્ષાદ આમ-તેમ (=અનિયત સ્થાનમાં) વરસ્યા. મુકુટવાળા રાજાઓના સ્વામી શ્રી નેમિકુમારે મુકુટોને ભાંગીને અને મસ્તાને મુ`ડીને લાખો માણસાને વિલખા બનાવ્યા. જરાસ ́ધના સૈન્યરૂપી સમુદ્ર યાદવેા રૂપી ખાòાચિયામાં જે ડુબી ગયા તે ચેકિંગનાથ નેમિકુમારના પ્રભાવ છે. શ્રી નેમિકુમારે કરેલા ઉપચારથી ફરી નવા ખલવાળા થયેલા ખલભદ્ર મદોન્મત્ત હાથી વૃક્ષાના વિનાશ કરે તેમ શત્રુઓના વિનાશ કર્યાં. પેાતાના સૈન્યને હત-પ્રતિહત થયેલું જાણીને ગુસ્સે થયેલા અને જાણે પ્રસિદ્ધ યમરાજ ન હાય તેવા જરાસંધે કૃષ્ણને આ પ્રમાણે કહ્યુ :-૨ ૨ગાપાલમાલ ! તુ' બળથી મારા જમાઈને હણીને જેમ મંત્રવાદી પાસેથી વેતાલ નાશી જાય તેમ પશ્ચિમ સમુદ્ર તરફ નાશી ગયા. તુ શિયાળની જેમ નાશતા હોવા છતાં કાળે તને લાવી મૂકયો છે. આથી હમણાં તને કંસના માર્ગમાં લઈ જઈને પુત્રીની પ્રતિજ્ઞાને પૂરી કરીશ. કૃષ્ણે કહ્યું : વિલંબ ન કર, મારી સામે આવ, જેથી પિતા, પુત્રી અને જમાઈ એ ત્રણેના એક સમુદાય કરું, અર્થાત્ ત્રણેને એક સ્થળે ભેગા કરી દઉં. આ પ્રમાણે કાલ જેવા ભયંકર, પરસ્પર એક-બીજાના તિરસ્કાર કરતા, સમુદ્રની જેમ ગર્જના કરતા, અને અતિશય ખલવાળા તે ખને લડ્યા. તેવુ... કોઈ શસ્ત્ર ન હતું, તેવી કોઈ વિદ્યા ન હતી, તેવી કેાઈ ’ચારી ન હતી, અને તેવુ કાઈ ભ્રમણ ન હતું કે જેનાથી યુદ્ધમાં કુશળ તે બે રાજાઓએ તે વખતે યુદ્ધ ન કર્યું હાય. હિમવત વગેરે કુલ પ તા કંપવા લાગ્યા, દિગ્ગજો ભ્રમથી વ્યાકુલ બની ગયા, સમુદ્રો ક્ષુબ્ધ બન્યા, અને જાણે બ્રહ્માંડ ફૂટી ગયું. હવે જરાસંધે પેાતાના બધાં શસ્રા જીતાઈ ગયા એટલે જાણે ખીન્ને સૂ હાય તેવું ચક્ર કૃષ્ણ ઉપર ફેકયું. તે ચક્ર ક્રીડાના દડાની જેમ કૃષ્ણના વક્ષસ્થળને ૧. ચારી એટલે યુદ્ધમાં થતી ભિન્ન ભિન્ન ગતિ=ચાલ ભ્રમણ એટલે યુદ્ધમાં થતું ભિન્ન ભિન્ન પરિભ્રમણુ.
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy