________________
પૂ. આ. શ્રી રાજશેખરસૂરિ મહારાજના સરળ અને સુબેધ શૈલીમાં આલેખાયેલાં પ્રેરણાદાયી પુસ્તકે
૧ માતાપિતાની સેવા માતા–પિતાનો ઉપકાર કેટલે બધો મહાન છે? એમની સેવા કાજે કઈ કઈ ચીજોનું બલિદાન કરવું જોઈએ? વગેરે જાણવા આ પુસ્તિકા ઘણી ઉપયોગી છે. એની ત્રણ આવૃત્તિમાં ૧૬ હજાર નકલો પ્રગટ થઈ ચુકી છે. “મુંબઈ સમાચાર' અને “જન્મભૂમિ' વગેરે દૈનિકપત્રોએ પણ આને સારે આવકાર આપે છે.
રમૈત્રી સાધના મૈત્રી, પ્રદ, કરણ અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ધર્મનું મૂળ છે, અને પ્રમોદાદિ ત્રણ ભાવનાઓનું મૂળ મૈત્રી છે. આવી મહિમાવંતી મૈત્રીના સ્વરૂપને અને મહિમાને જાણવા માટે આ પુસ્તિકા વાંચવી જરૂરી છે.
૩ પ્રમેદપુષ્પપરિમલ આમાં પ્રમોદભાવનાનું સરળ અને સુગમ વિવેચન કરવામાં આવ્યું છે. ગુણાનુરાગની ગરિમાને, ગુણ પ્રશંસાથી પ્રગટ થતા અનેકાનેક લાભોને, અને ગુણ-અવગુણને પારમાર્થિક સ્વરૂપને સમજવા માટે આ પુસ્તિકા અવશ્ય વાંચો.
૪ સત્સંગની સુવાસ આમાં સત્સંગના મહિમાનું અને કુસંગથી સજાતા અનર્થોનું વિવિધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સત્સંગ અનેકાનેક દષ્ટિથી કેટલો બધે જરૂરી છે અને લાભદાયી છે એનું પુણ્ય દર્શન મેળવવા માટે આ પુસ્તિકા અનેક રીતે આદરણીય છે.
૫ ભવભાવના આમાં બારભાવનાઓનું વર્ણન છે, પણ પાંચમી સંસારભાવનાનું વર્ણન ઘણું વિસ્તારથી કરવામાં આવ્યું છે. આથી આ પુસ્તિકા દુઃખમાં સમાધિ માટે ટોનિક ઔષધતુલ્ય અને વૈરાગ્ય પિોષક છે. જૈનના દરેક ઘરમાં આ પુસ્તિકા હોવી જરૂરી છે. આની ત્રણ આવૃત્તિમાં ચાર હજાર નકલનું પ્રકાશન થયું છે.
૬ તવાર્થાધિગમસૂત્ર આમાં છવ વગેરે નવતાનું વિશદ છતાં સરળ અને સુગમ વિવેચન કરવામાં આવ્યું છે, જૈનશાસનના પ્રાણભૂત નવ તરોનું સ્પષ્ટતાથી અને વિસ્તારથી જ્ઞાન મેળવવા માટે આ પુસ્તકનું અવગાહન જરૂરી છે.
- પ્રાપ્તિસ્થાને
જયેન્દ્ર વેલજી હરણિયા, ૧૭ B, દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫ | (સૌરાષ્ટ્ર)
તત્વાર્થાધિગમસૂત્ર
મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાલામાં મળે છે.
અમૃતલાલ જીવરાજ . ૧૭ એમ; આઝાદરોડ, ફાતમાબાઈ કોર્ટ, જેકબસર્કલ
મુબઈ–૪૦૦ ૦૧૧