SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાપદેશમાલા ગ્રંથના શ્વેતાંબરમુનિની વાણી અન્યથા થાય? વળી– એની આંગળીના અગ્રભાગના સ્પર્શીમાત્રથી જો મારુ શરીર રામાંચવાળુ' થશે તે એ નલરાજા જ છે એમ જાણવું. હવે અંગસ્પ કરવા આગ્રહ કરાયેલા કુબડાએ કહ્યું: હું જન્મથી બ્રહ્મચારી હોવાથી સ્ત્રીના સ્પ કરતા નથી. ભીમે ઘણા આગ્રહ કરીને જેમ તેમ કરીને એ વાતના સ્વીકાર કરાવ્યા. આથી કુખડાએ આંગળીથી તેના અંગના પાકતા ફાડલાની જેમ સ્પર્શ કર્યાં. અંગમાં રામાંચ થતાં દમ યતી સ્પષ્ટ એલી: હે નાથ ! તે વખતે તમે સુતેલી મને છેાડી દીધી, પણ હમણાં જાગતી મને કેવી રીતે છેડી શકશેા? આ પ્રમાણે કહીને દમયંતી આદ્ર - ચિત્તવાળા તેને ઘરની અંદર લઈ ગઈ. નલે દેવે કહેલા વિધિથી ક્ષણવારમાં પોતાનુ સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. જેમ યાગિની રૂપસ્થધ્યાનના યાગથી સર્વ અંગામાં પ્રવેશ કરે તેમ પતિના વાસ્તવિકરૂપને જોતી દમયતીએ પતિના સગામાં પ્રવેશ કર્યાં. બહાર આવેલા નલને ભીમરાજા ગાઢ ભેટી પડયો. પછી હર્ષોંથી યુક્ત તેણે નલને પેાતાના આસન ઉપર બેસાડીને અજિલ જોડીને કહ્યું: આ મોટું રાજ્ય અને વિપત્તિથી રહિત આ સ'પત્તિઓ તમારી છે. અમે પણ તમારી આજ્ઞાનું પાલન કરનારા છીએ. આથી તમારી ઈચ્છા પ્રમાણે આજ્ઞા કરી. નલને જોઇને સભ્રાન્ત થયેલા ધિપણુ રાજાએ પણ નલને નમીને કહ્યું: અજ્ઞાનતાથી મેં જે (અનુચિત) આચરણ કર્યું" તેની તમે ક્ષમા કરો. તે ધનદેવ સાર્થ વાહ ભીમરાજાનાં દન કરવા આવ્યા. દમયંતીએ ભીમદ્વારા તેનું બંધુની જેમ ગૌરવ કરાવ્યું. દમયંતીએ તાપસપુરના રાજાને અને ઋતુપણુ રાજાને ખાલાવવા માટે ભીમને વિનંતિ કરી. આથી ભીમે તા માકલીને તે એને પણ ખેલાવ્યા. ભીમ નવી નવી ભક્તિથી તે બધાને માન આપવા લાગ્યા. આ રીતે ત્યાં જ રહેલા તેમના એક મહિના મુહૂત્તની જેમ પસાર થઇ ગયા. ૨૧૮ એક દિવસ કાઇ ધ્રુવે ત્યાં આવીને દમયંતીને કહ્યુ: હે દેવી! તમે મને એળખા છે? તમે તે વખતે તાપસેાના અધિપતિને પ્રતિઐાધ કરીને સમ્યક્ત્વ પમાડ્યું હતું અને જૈન દીક્ષા લેવડાવી હતી. ક્રમે કરીને તે સાધર્મ દેવલાકમાં કેશર નામને દેવ થયા. તે હું છું. આથી તમે મારા સાચા ઉપકારી છે. આ પ્રમાણે કહીને તે ધ્રુવે પ્રણામપૂર્વક સાત ક્રોડ સુવણુની વૃષ્ટિ કરી. પછી તે જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે જતા રહ્યો. વસ'તશેખર, ઋષિપણું, ઋતુપણું અને ભીમ વગેરે રાજાએ પ્રૌઢપ્રતાપી અને સ્ફૂર્તિવાળા નલના રાજ્યાભિષેક કર્યાં. બંને રીતે બલવાન એવા સવ રાજાએની સાથે સૈન્યાથી પૃથ્વીને ધ્રુજાવતા નલરાજા કેશલાનગરી તરફ ચાલ્યા. નલને રતિવર્તુભ નામના ઉદ્યાનમાં આવેલા જાણીને કુમરે મૃત્યુની સાથે—સંબ ́ધ કર્યાં, અર્થાત્મરવાની તૈયારી કરી. ન્યાયમાં તત્પર નલે દૂત દ્વારા કૂબરને કહ્યું કે પાશાએથી મારી સાથે જુગાર રમ, અથવા તીક્ષ્ણમાણેાથી યુદ્ધ કર. કૂબરે ધીરપુરુષથી સાધી શકાય તેવી યુદ્ધક્રિયાના નિષેધ કરીને જુગારના સ્વીકાર કર્યાં, જોયેલા અમાં સ્પૃહાવાળા કાણુ ન થાય? જેનું
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy