SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શીલપદેશમાલા ગ્રન્થને ઉદ્ધાર થયો. આથી જ આ મહાત્માઓ સ્વ–પરના તારક છે. અમને ધિક્કાર થાઓ. અમેએ તે વખતે સદા તેમની વાણું ન સાંભળી. હવે વંકચૂલ પિતાને સહાય રહિત અને સંકટવાળો કલ્પીને ઘાસની જેમ પલીને ' મૂકીને ઉજજેની નગરી ગયો. બહેન અને પત્નીને કેઈ શેઠના ઘરે મૂકીને તે પોતે તે ચેરીથી જ ઈચ્છા મુજબ વિલાસ કરવા લાગે. ક્યાંય કેઈનાથી પણ નહિ ઓળખાયેલ અતિચતુર વંકચૂલ હંમેશાં જ ધનવાના ઘરમાં ખાતર પાડવા લાગ્યા. એકવાર તેણે આ પ્રમાણે વિચાર્યું – ધનવાળા વેપારીઓને ધિક્કાર થાઓ! તેઓ કેડિ જેટલા ધનના વ્યયની ભ્રાતિથી પુત્રોને પણ હણે છે. પારકા ધનને ઈચ્છતા ભિક્ષુક બ્રાહ્મણે પણ ઉપેક્ષા કરવા ગ્ય છે. જેઓ ડામાંથી પણ છે ચેરી લે છે તે સનીલોકે કેણ છે? અર્થાત્ તેમની તે વાત જ શી કરવી? જે વેશ્યાઓ શિષ્ટાચારવાળા લોકોને દ્વેષ કરવા ચોગ્ય છે, અને ધનની ઈચ્છાથી કેઢીઆઓને પણ કુબેર જેવા જુએ છે, તે વેશ્યાઓનું ધન શું કામનું? (આ ચિંતનને સાર એ છે કે વેપારી આદિને ત્યાં ચોરી નહિ કરવી જોઈએ.) જે ચોરી કરવી હોય તે રાજાને ત્યાં ચોરી કરવી જોઈએ. જેથી જે તેમાં સફળતા મળે તે જીવનપર્યત ચાલે તેટલું ધન મળે અને સફળતા ન મળે તે લાંબા કાળ સુધી યશ મળે. વર્ષાકાળમાં આ પ્રમાણે વિચારીને તે જંગલમાંથી ઘે લઈ આવ્યું. ઘની પુછડીએ વળગીને તે રાજમહેલની ઉપર ચઢ્યો. તેણે પાંચમી ક્ષણે રાજાના વાસભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં કઈ સુંદર સ્ત્રીએ તેને તું કોણ છે? એમ પૂછવું વંકચૂલે કહ્યું હું ચાર છું. તેણે ફરી પૂછ્યું: તું લેવાને ઈચ્છે છે? વંકચૂલે કહ્યું: મણિ અને રન વગેરે લેવાને ઈરછું છું. વંચૂલના રૂપમાં મુગ્ધ બનેલી તેણે કહ્યું તે ચરો બીજા જ છે કે જેઓ રત્ન વગેરેને ગ્રહણ કરે છે. પણ તું તો મારા ચિત્તને ચેરનારો હોવાથી દેખતાઓને ચેરનાર છે=આકર્ષી લેનાર છે. જે તું મારું કહેલું કરે તે તારા મનોરથને પૂરું. વંકચૂલે પૂછયું તું કોણ છે? તેણે કહ્યું હું રાજાની રાણી છું. મેં સૌભાગ્યના ગર્વથી રાજાને રેષવાળો કર્યો છે. તેથી જેમ નિર્ધન માણસ નિધાનની પ્રાપ્તિ થવાથી પિતાને સફલ બનાવે તેમ તે પોતાને સફળ બનાવ. રાજપની મારે ન ભોગવવી એવા અભિગ્રહને યાદ કરીને વંકચૂલે રાણીને કહ્યું: તું બધી રીતે મારી માતા છે. સ્મૃતિકારોએ પણ કહ્યું છે કે રાજપત્ની, ગુરુપત્ની, મિત્રપત્ની, પત્નીની માતા અને પોતાની માતાઆ પાંચ માતાઓ કહી છે. હે મૂખ! તને આધીન બનીને આવતી એવી મારી તું ઉપેક્ષા ન કર. રાણીએ વંકચૂલને આવું ઘણું કહ્યું છતાં ધીર તે જરાપણ ચલિત ન થયે. કામથી પીડિત થયેલી તેણે ફરી ક્રોધપૂર્વક કહ્યું. જે તું મને નથી ઈચ્છતો તે આજે તારા ઉપર યમ ૨ષે ભરાયે છે એમ સમજ. માટે જલદી ઉત્તરનો વિચાર કર, અર્થાત્ બરોબર વિચારીને ઉત્તર આપ. નીચેના માળમાં સૂતેલા રાજાએ જાતે આ બધું સાંભળ્યું. પિતાના શરીરને નખેથી ઉઝરડીને રાણીએ પિકાર કર્યો કે, અરે! કેઈર કે જાર
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy