SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ ज्योतिष्करण्डकम् તેટલા માત્ર - પંદર ભાગો પુનઃ વધે છે, અર્થાત્ ચંદ્રવિમાન બાસઠ ભાગોથી કલ્પાય છે અને કલ્પીને તે ભાગોનો ૧૫થે જ કરવો એટલે ભાગ મળશે શેષ ૨ ભાગ રહે છે. તે સદા અનાવૃત્ત જ રહે છે, આ ચંદ્રની “સોળમી કળા' તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં કૃષ્ણપક્ષમાં પડવાના દિવસે થુવરાહુનું વિમાન ચંદ્રમંડળના નીચેથી ચાર આંગળ દૂર રહેતું, ચારો ચરતું પોતાના પંદરમા ભાગથી ભાગોને સદા અનાવાર્ય સ્વભાવોને મુકીને શેષ દર સંબંધી ૬૦ ભાગ રૂપ ચંદ્રમંડળ સંબંધિ ૪ ભાગ રૂપ એક-પંદર ભાગોને ઢાંકે છે, અને બીજીમાં પોતાના ભાગો દ્વારા ભાગોને, ત્રીજી તિથિમાં પોતાના ૩ ભાગોને ઢાંકે છે. એમ, અમાવસ સુધી પહોંચતા ૧૫-૧૫ ભાગોને ઢાંકે છે. ત્યાર બાદ શુક્લપક્ષમાં પડવાના દિવસે ભાગને પ્રકટ કરે છે બીજીમાં ભાગોને, ત્રીજીમાં ભાગોને એમ પૂર્ણિમામાં 5 ભાગોને ખુલ્લા કરે છે ત્યારે, સંપૂર્ણ રીતે પરિપૂર્ણ ચંદ્રમંડળ લોકમાં પ્રકટ થાય છે. તે ૧૦૦ || ત્યાં જેટલા કાળે કૃષ્ણપક્ષમાં સોળમો ભાગ રૂપે હાનિ પામે છે તે જ તેટલા કાળવિશેષ વાળી તિથિ થાય છે, એ પ્રમાણે વૃદ્ધિથી પણ તિથિ થાય છે, અર્થાત્ - જેટલા કાળમાં શુક્લપક્ષમાં સોળમો ભાગ કહ્યા મુજબ વધે છે તેટલા પ્રમાણ કાળ વિશેષ તિથિ કહેવાય છે. અહોરાત્રના બાસઠ ભાગો તેટલા પ્રમાણ તિથિ એવો અર્થ થયો. આ રીતે ભગવાન તીર્થંકર-ગણધરોએ તિથિની સમુત્પત્તિ કહી છે. || ૧૦૧ || પ્ર. તે તિથિઓ કેટલી છે? ઉ. જેટલા કાળે એક ચંદ્ર મંડળનો સોળમો ભાગ ૪ રૂપ હાનિ-વૃદ્ધિ થાય છે તેટલા કાળ પ્રમાણ એક તિથિ થાય છે, તેથી ચન્દ્રના રાહુવિમાન કૃષ્ણપક્ષમાં જેટલા ભાગો હણે અને શુક્લપક્ષમાં આનુપૂર્વીથી જેટલા-ભાગો વધારે તેટલી કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષમાં તિથિઓ થાય છે ત્યાં પંદર ભાગોને કૃષ્ણપક્ષમાં ઘટાડે છે, અને પંદર
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy