SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Ro ઉo-જિનપદેશ વ્યવહારથી “બહુ લાભ-અલ્પનુક્સાન’ એ ન્યાયે દ્રવ્યહિંસાનું પણ નૈમિત્તિક વિધાન કરે છે. ઉત્સર્ગથી નિષિદ્ધ ચીજનું જ કો'ક નિમિત્તે વિધાન હોય છે. નિશ્ચયથી તે બાહ્ય કઈ ચીજની એકાતે અનુજ્ઞા કે નિષેધ નથી, માત્ર શુભભાવનું વિધાન અને અશુભ ભાવને નિષેધ છે. વળી જયણાને જ ઉપદેશ હોય તે “યં ” વગેરેમાં ચરણાદિ અંશનું શું કરશે ? વળી વિધ્યર્થપ્રત્યયનું જે ઈષ્ટસાધનતાબોધકત્વ હોય છે એજ એનું પ્રવર્તકત્વ છે. એટલે તે પ્રત્યયયુક્ત જિનપદેશથી જ આપવાદિક પ્રવૃત્તિ પણ થાય છે, સ્વતઃ નહિ એ સ્વીકારવું જોઈએ. પરપીડાને અપવાદપદે વિધિમુખે ઉપદેશ હે પણ ભગવતીજી વગેરેમાં ઠેર ઠેર જોવા મળે છે. [ ક૯૫ભાષ્યનો અધિંકાર ૩૫-૩૭૭] જેમ છતે આભેગે દ્રવ્યપરિગ્રહથી કેવલીના કેવલજ્ઞાન કે ચારિત્રમાં કઈ દેષ ભો ઊથતિ નથી તેમ દ્રવહિંસા માટે જાણવું, હિંસાની ચતુભગીના અને દ્રવ્ય-ને ભાવ” રૂ૫ ચોથા ભાંગાથી જેમ હિંસાને દોષ નથી તેમ દ્રવ્યમાત્ર હિંસા રૂપ બીજ ભાંગાથી પણ કોઈ દોષ લાગતો નથી. સયોગી કેવલીને આ ચતુર્ભગીમાંથી જે માત્ર ચોથે ભાંગે જ માનવાને હોય તો ક૯૫ભાષ્યમાં વસ્ત્ર કેદન અધિકારમાં અપ્રમત્તથી માંડીને સગી કેવલી સુધીના છોમાં છતી દ્રવ્યહિંસાએ જે સમાન રીતે , નિર્દોષતા કહી છે તે ઘટે નહિ. જીવ જ્યાં સુધી એજનાદિ ક્રિયાયુક્ત હોય છે ત્યાં સુધી આરંભાદિને સાંભવ હોય છે' એવું જણાવનાર ભગવતીસૂત્રની સાક્ષી પૂર્વક એ વસ્ત્રછેદન અધિકારમાં એ પૂર્વપક્ષ ઊઠાવવામાં આવ્યું છે કે “વસ્ત્રાદિનું છેદન કરવામાં આરંભ થવાથી સાધુમાં હિંસકત્વ આવી જય માટે એ છેદનાદિ ન કરવા’ આ પૂર્વપક્ષનું “ઉપયુક્ત અપ્રમત્તાદિમાં હિંસાન્વિત થાગજ હોત નથી' ઈત્યાદિરૂપે નિરાકરણ ન કરતાં તેવો યોગ પીકારીને જ પ્રતિબંધીથી નિરાકરણ કર્યું છે, તેમજ “ભાવથી ઉપયુક્ત હોવાના કારણે જ અપ્રમત્તાદિમાં અહિંસકત્વ છે ઇત્યાદિ રૂપે નિરાકરણ કર્યું છે. વળી ભગવતીજીના તે સૂત્ર પરથી પણ સગી કેવલીમાં દ્રવ્યહિંસાની સિદ્ધિ થઈ જ જાય છે. કૅમકે સયોગોને એજનાદિ ક્રિયા હોય છે. પૂછ–ભગવતીજીના એ સુત્રમાં જે જ્યાં સુધી એજનાદિયુક્ત હોય તે ત્યાં સુધી આરંભાદિમાન હાય” એ નિયમ જણાવવાનું તાત્પર્ય છે. એટલે આરંભ એજનાદિને જેમ “કારણુ” હેવો જણાય છે. અને એ “આરંભ’ શબ્દનો અર્થ ગ” છે. તેથી એ સૂત્ર પરથી - યોગી કેવલીમાં પણ એજનાદિ હોવાથી જીવાત રૂ૫ આરંભ હોય છે એવું સિદ્ધ થતું નથી, પણ ગરૂપ આરંભ હોવાથી એજનાદિ હોય છે એવું સિદ્ધ થાય છે. ઉ૦-આરંભાદિ ૩ શબ્દ વેગને જણાવે છે એ વાત દુર્ઘટ છે. વળી એજનાદિ ક્રિયા એ જ કાયાદિસાપેક્ષ યોગરૂપ છે. તેથી “એ બે વચ્ચે વ્યાપ્ય વ્યાપક ભાવ જણાવવાનું એ સૂત્રનું તાત્પર્ય છે' એવું શી રીતે મનાય ? વાસ્તવિકતા એ છે કે આરંભાદિશક્તિયુકત ક્રિયાઓ આરંભાદિને નિયત છે તેમજ એ શક્તિયુકત યોગ જ અંતક્રિયા પ્રતિબંધક છે. વળી આવી ક્રિયાથી પુદગલપ્રેરણા દ્વારા જે આરંભ થાય છે તે સાધુઓને શાચિક (ખેડૂતના) દૃષ્ટાન્ત મુજબ નિર્દોષ હોય છે. આવો આરંભ કેવલીને પણ હોય છે, કેમકે ચલેપકરણત્વ હોય છે. સ્થૂલ ક્રિયા રૂપે ફલિત થતા આ આરંભને નિમિત્ત કારણ તરીકે આશ્રીને આચારાંગવૃત્તિમાં કર્મબંધની વિચારણા કરી છે. એમાં જે કહ્યું છે કે “ઉપશાન્તમોહ, ક્ષીણમોલ અને સયાગી કેવલીને કષાયાભાવ હેઈ સામયિક કમબંધ થાય છે.” તેનાથી, પણ સિદ્ધ થાય છે કે “ઉપશાનમાહીની જેમ ક્ષીણુમહી અને સગોમાં પણ નિમિત્તકારણરૂપે આરંભ તે હોય જ છે. " [ કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર-૩૭૭-૪૦૨] પૂ૦–વૃત્તિકારે એમાં કેવલીને સમાવેશ કર્યો છે તે અસંગત છે, કેમકે ગુર્વાદેશવિધાયી સાધુની તે સત્રમાં વાત ચાલે છે. કેવલીઓએ ગુરુના આદેશને અનુસરવાનું હતું નથી.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy