SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયથી સચિત્તરૂપે આભોગ હોય જ છે. તેથી સાધુને એના ઘાતક માનવાની આપત્તિ તો આવશે જ, વળી “પૃથવીકાયાદિ જીવોને આગ તો કેવલજ્ઞાન સાથે જ છે એવું માનવું પણ યોગ્ય નથી, કેમકે એ રીતે તે કીડી વગેરેના જીવને આભોગ પણ તેવો જ માનવો પડે. પૂ–ચેષ્ટારૂપ લિંગથી તેને આભગ અભિવ્યક્ત હોય છે. ઉ-જિનેક્તલિંગથી પૃથ્વીકાયાદિને આગ પણ શું અભિવ્યક્ત નથી હોતો? બાકી સ્વઅદેશન(ચાક્ષુષ અદર્શન)માત્રને કારણે અનાગ માનવાને હોય તે, “આ ચાદર નીચે કીડીઓ છે,' એવું આપ્તજને કહ્યા પછી પણ એનાં પર ચાલે તે પણ એ હિંસાને અનાભોગજન્ય માનવી પડે. માટે જળને આગ તો માનવું જ પડે છે. એટલે નદત્તારાદિમાં થતી વિરાધના આગ મૂલક તો હોય જ છે. તેમ છતાં એ આજ્ઞાશુદ્ધ હેઈ દુષ્ટ નથી. પૂ–જયણાથી પ્રવર્તતા સાધુથી અનાગ જન્ય અશક્ય પરિહાર રૂપે જે વિરાધના થાય છે તેને ના ગરમાગરૂ૦ ઇત્યાદિ ગાથા દ્વારા નિર્જરાફ લક કહી છે. આના પર વિચાર કરીએ તો જણાય છે કે વર્જનાભિપ્રાયના પ્રભાવે એ વિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિજેરાનું કારણ બને છે અને સંયમ પરિણામને અક્ષત રહેવા દે છે. કેવલીને અનાગ ન હોઈ આ બધું શી રીતે સંભવે? ઉo-એ ગાથાની વૃત્તિમાં તે વિરાધના તરીકે આપવાદિક વિરાધના કહી છે. અને આપવાદિક વિરાધના તે અનાભોગ જન્ય કે વનાભિપ્રાયવાળી હેતી નથી. એટલે તમે કહેલી રીતે એ નિજ રાની હેતુ નથી. કિન્તુ જુસૂત્રમતે સાવ વિલક્ષણ હોવાના કારણે અને વ્યવહારનયે વિલક્ષણ સહકારીઓથી સહકૃત હેવાના કારણે બંધહેતુભૂત એવી પણ વિરોધના નિજ રહેતુ બને છે. વળી નિશ્ચયથી તે આજ્ઞા શુદ્ધભાવ જ નિરાને હેતુ છે. નિશ્ચયના અંગભૂત વ્યવહારથી એ વિરાધનાને નિર્જરાને હેતુ કહેવામાં કઈ બાધક નથી, કેમ કે “માસવા તે સિવા' ઇત્યાદિ કહ્યું છે. નદી ઉતરવામાં પણ આજ્ઞા શુદ્ધ ભાવના કારણે જ સાધુ નિર્દોષ રહે છે. નહિ કે જળજીવના અનાભોગના કારણે. બાકી જળ જીવોનો અનાભોગ જ જે હોય તે નદીનું પાણી પીવામાં પણ મૂલ પ્રાયશ્ચિત્ત ન આવવું” જોઈએ, વળી જીવથી ખિચખિચ લોકમાં દ્રવ્ય હિંસા થવા છતાં પણ સાધુ જે નિર્દોષ રહે છે તેની સંગતિ વિશેષાવશ્યક ભાષ્યમાં શુદ્ધ પરિણામના કારણે જ કરી છે, નહિ કે અનાભોગના કારણે જ, બાકી આબેગ લેવા માત્રથી વિરાધના સમ્યક્ત્વાદિની નાશક બની જતી હોય તે ઓસગિક એવી વિહારાદિ ક્રિયાઓ પણ છોડી દેવી પડે. પૂછતે આભોગે વિરાધના કરવામાં આવે તો એ વિરાધનાથી અટકવાને પરિણામ ન રહેવાના કારણે સર્વવિરતિ ટકે નહિ, અને દેશવિરતિ જ આવી જશે. ઉ૦-આવી આપત્તિ નથી, કારણ કે એ વિરાધનામાં પણ ૧૮૦૦૦ શીલાંગના સ્વીકારરૂપ પ્રતિપત્તિ અને સત્રાના પરિપૂર્ણ રહે છે. નિશ્ચયનયે એકપણ શીલાંગ સુપરિશુદ્ધ હેય તે શેષ પણ સુપરિ. શુદ્ધ હોય જ છે, વ્યવહારનયે એકાદિ શીલાંગ ભાંગવા છતાં અવશિષ્ટ ચારિત્ર વિદ્યમાન હોય છે. તેથી દેશવિરતિ આવી જવાની આપત્તિ નથી. શીલાંગની પરિપૂર્ણતા ભાવવિરતિની અપેક્ષાએ હોય છે, બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ. ઉસૂત્ર (સૂત્ર બાહ્ય) પ્રવૃત્તિ વિરતિપરિણામને બાધ કરે છે. નઘુતારાદિ પ્રવૃત્તિ જિનાજ્ઞાથી થયેલી હેઈ સાતિચાર પણ હેતી નથી. તે તેનાથી દેશવિરતિ કયાંથી આવી જાય ? [અપવાદ વિષયક ઉપદેશ વિચાર-૩ર૩-૩૪] * પૂo-જિનપદેશ વિધિનિષેધમુખે તો જયણુ-અજયણ વિષયક જ હોય છે. એનાથી વસ્તુનું અનાદિસિદ્ધ કયત્વ કે અકમ્યત્વ સ્વરૂપ જણાય છે. એ જણને પછી પ્રવૃત્તિ-નિવૃત્તિ તો સ્વતઃ જ થાય છે. એટલે નઘુતારાદિની કે તેમાં થતી વિરાધનાની સાક્ષાત જિનાજ્ઞા હોતી જ નથી, તે એ પ્રવૃત્તિને જિનાજ્ઞાથી થયેલી કેવી રીતે કહેવાય ?
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy