SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] ભજવશે. આથી તે પેાતાની જ તિનું અને સાથે પોતાના સહુવાસીએ અને આખા સમુદાયનુ કેટલુ' અહિત કરતા હોય છે તે માનકાયમાંથી ઊભા થયેલા ક્રોધ, રાષ કષાયથી અંધ બની ગયેલા આત્મા કયાંથી જોઈ જ શકે ? આમાં પછી સાધુ હેાય કે સંસારી | અહીયાં વાત આપણે શ્રમણુસંધની કરવાની છે. શ્રમણુ સ ંસ્કૃતિ તરીકે આજે બે સંસ્કૃતિ આળખાય છેઃ એક જૈન અને ઐાદ્ધ, અનાદિકાળથી જૈન સંસ્કૃતિના મુખ્ય પ્રવતક કે પ્રવક તરીકે તીર્થંકર ભગવાના જ હેાય છે. જેમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર હતા અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રવર્તક મહાત્મા બુદ્ધ હતા. કષાયભાવે ની નાનીમેટી આગૈા સત્ર પ્રજવલતી જ હેાય છે. ઇતિહાસના અભ્યાસીઓને ખ્યાલ હશે કે ખુદ મહાત્મા બુદ્ધુને ઝેર કે બીજા કોઈ પ્રયાગ દ્વારા મારી નાંખવાના ઉપલી સપાટીએથી પ્રયત્ના એકથી વધુ વાર થયા હતા. અને ભગવાન મહાવીર માટે શું બન્યું તે તે જૈનાતી જાણીતી વાત છે. જે બુદ્ધ ઉપર થયું એ જ મહાવીર ઉપર થયું. વસવાટની પરિચર્યા એમની એવી હતી કે ઉઘાડી રીતે મહાવીરને ખતમ કરવાનું ઘણું જ મુશ્કેલ હતું. લે! અગાઉથી ન જાણી શકે એ રીતે જ હુમલે થઈ જાય તેા જ નિશાન પાર પડે તેમ હતુ, એટલે ગાશાળાએ પાતાના તપથી મેળવેલ ( તેય પેાતાના જ ગુરુ ભગવાન મહાવીરની કૃપાથી જ ) તેજોલેસ્યા એટલે મુખમાંથી જવાલા કાઢવાની ( આધ્યાત્મિક શક્તિ) શક્તિથી મહાવીરને ભડથું કરી નાખવા અગ્નિજ્વાળા કર્યાં છેાડી ન હતી ? વેષનું, ચારિત્રનું અને સાધનાનું બધુય ચૂકી જનારા આત્માઆ માત્ર વધુ પડતી રીતે માત્ર અહંકાર, મહત્ત્વાકાંક્ષા, પૂજાવાની વાહવાહની તીવ્ર ભૂખા ન સંતેષાતાં નાની–શી જિંદગી લઈને આવેલા, સાધુના વેશ પહેરી જીવન જીવનારા સંતા-મહાત્મા શું તે શું ન કરે તેનાં અનેક ઉદાહરણા ઇતિહાસમાં મળે છે અને આજે આપણી નજર સામે પણ જોવા કયાં આછું મળે છે?
SR No.022149
Book TitlePanchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani, Yashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1980
Total Pages140
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy