SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ ધમ સત્રણે ગુ ભા॰ સારાહાર ગા. ૨૨ પરિણામે સકના નાશ અને માક્ષ થાય છે. આ દન–જ્ઞાન – ચારિત્ર ત્રણે મળીને કાર્યની સિદ્ધિ કરે છે. અધ–અજ્ઞ અને પશુ જેમ અસહાય એકાકી સ્વસ્થાને પહેાંચી શકે નહિ તેમ કેવળ સમ્યગદ નથી, જ્ઞાનથી, કે ચારિત્રથી મુક્તિ થાય નહિ, માટે કહ્યું છે કે “જ્ઞાનયિામ્યાં મોક્ષઃ” તેમાં જ્ઞાન સમ્યગ્દર્શન સહિત જ હોય અને ક્રિયા એ ચારિત્ર છે. એ રીતે પણ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી મેાક્ષ થાય છે. માટે તે માક્ષના ઉપાચે છે. માક્ષ જો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે તેની પ્રાપ્તિના ઉપાચા પણ છે જ. અન્યથા મેાક્ષનું નિરૂપણુ મિથ્યા ઠરે. એમ માનવું તે છઠ્ઠું સ્થાન. આ છ સ્થાન સમકિતના પ્રાણભૂત છે, માટે જે છ સ્થાને ચથાર્થ માને, તે જ સમકિતી ગણાય. અન્ય ધી એ આ છ સ્થાનમાં વિસંવાદી હોવાથી સમક્રિતી નથી. અહી કહેલા ૬૭ ભેદોમાં કેટલાક જ્ઞાનરૂપ કેટલાક દનરૂપ અને કેટલ!ક ચારિત્રરૂપ હોવાથી સમકિતદ્વારા અવશ્ય મુક્તિ થાય એમ કહ્યું છે. જે તત્ત્વશ્રદ્ધા વિના જ આજીવિકાદિ માટે શ્રાવકના આચારાને પાળે તેમાં દ્રવ્યશ્રાવકપણુ કહ્યું છે. આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે સમકિતને પામેલા સાધુઓના મુખે નિત્ય ધર્માંદેશનાને સાંભળે, તેને ભાષશ્રાવક કહેવાય. અહી ભાવશ્રાવકના અધિકાર છે. તેના શાસ્ત્રામાં વિવિધ ભાંગા (પ્રકાર) ક્થા છે. તે પૈકી, ૧. દનશ્રાવક તે અવિરતિ સમકિતદ્રષ્ટિ, ર. મુળગુણુશ્રાવક તે પાંચ અણુત્રતા પૈકી કોઇ પણ વ્રતવાળા અને ૩. ઉત્તરગુણુશ્રાવક તે ગુણવ્રતા, શિક્ષાત્રતા, કે તે પૈકી કાઈ પણુ તવાળા એમ ત્રણ ભેદો કહ્યા છે. ઠાણાંગ સૂત્રમાં બીજી રીતે પણ ભેદો નીચે પ્રમાણે કહ્યા છે. ૧. માતા-પિતા તુલ્ય, સાધુઓ પ્રત્યે વાત્સલ્યવાળા, તેમનાં કાર્યાની ચિંતા કરનારા અને દોષ દેખે તે પણ પૂજયભાવ છેડે નહિ, ૨. ભાઇસમાન, હૃદયથી બહુમાનવાળા, વિનચાદિ સામાન્ય રીતે કરનારા છતાં સંકટમાં પૂર્ણ સહાય કરે, ૩. મિત્રસમાન પોતાને સાધુઓનાં સ્વજનાદિ ક્રુરતાં પણ અધિક્ર હિતકરનાર માને, તેથી કોઈ પ્રસંગે પાતાનું ઔચિત્ય ન સચવાય તે અપમાન માની રીસાઈ પણ જાય, અને ૪. શાકચ (શત્રુ) સમાન. અભિમાની, છિદ્ર જોનારા, નિંદ્રક, સાધુને તૃણુતુલ્ય માને, એમ આ ચાર ભેદો ગુરુ પ્રત્યે પૂજ્યભાવની તરતમતારૂપ છે. બીજી રીતે ગુરુની આજ્ઞા (વચન) પ્રત્યે સદ્ભાવની તરતમતારૂપે પણ શ્રાવક્રના ચાર ભેદો આ પ્રમાણે કહ્યા છે. તેમાં, ૧. આદરા (આરિસા) સમાન,– ગુરુએ કહેલા સુત્ર-અ આરિસામાં પ્રતિબિંબની જેમ જેના હૃદયમાં સ્ર`પૂર્ણ પરિણમી જાચ ૨. ધ્વજસમાન, ગુરુ. ઉપદેશને સમ્યગ્ વિચાર્યા વિના ખીજાના ભમાવ્યે ભમી જાય તેવા અસ્થિર ૩. સ્થાણુ (થાંભા) સમાન, ગીતાગ્રંથી પણ સમજે નહિ અને પાતે માનેલા અસત્યને છેાડે નહિ, એવા દુરાગ્રહી અને ૪. ખરટ અથવા ખરક'ટટ્ટ સમાન, તે હિતકારી
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy