SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસાનારી ૩૫ ગુણા એમ વિધિપૂર્વક વિવાહ કર્યા પછી પણ કુલીન પત્નીને ઘરનાં પ કાર્યોમાં જોડવી, ઉન્મત્તઅભિમાની ન થાય તેટલું પરિમિત ધન-સત્તાદિ સોંપવું, માતાસમાન સદાચારી ઉત્તમ વૃદ્ધ સ્ત્રીઓની નિશ્રામાં રાખવી, વગેરે હિતકર વ્યવસ્થા દ્વારા તેના શીલની રક્ષા કરવી. ' ૩–શિષ્ટાચાર પ્રશસા—અહી’વ્રતધારી, જ્ઞાનવૃદ્ધ, એવા ગુણવાનાની સેવા દ્વારા તેમની પાસેથી હિતશિક્ષા-જ્ઞાન–વિદ્યાદિ મેળવનાર શિષ્ટ કહેવાય. શિષ્ટપુરુષોના આ આચારા નીચે પ્રમાણે છે. લોકાપવાદના ભય, દીન-દુઃખીના ઉદ્ધારમાં આદર, ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, સ્વાર્થને ગૌણ કરીને પણ હિતકર પરપ્રાર્થનાને સફળ કરવારૂપ સુદાક્ષિણ્ય, સર્વની અને વિશેષતયા ગુણીની નિંદ્રાના ત્યાગ, ગુણીના ગુણ્ણાની હિતકર પ્રશંસા, આપત્તિમાં ધૈર્ય, સપત્તિમાં નમ્રતા, અવસરોચિત અને હિતકર ઘેાડુ બેલવું, પરસ્પર વિરોધી અને તેવા આચાર ઉચ્ચાર અને વિચારના પરિહાર, અર્થાત્ વિચાર વાણી અને વનમાં એકતા, વિઘ્નાના જય કરીને પણ સ્વીકારેલા શુભકાર્યને પૂર્ણ કરવું, કુલાચારશનું પાલન કરવું, આવકથી અધિક કે અનુચિત કાર્યોમાં ધન નહિ ખર્ચવુ, જે કાર્ય જ્યારે જ્યાં કરવા ચાગ્ય હોય તેને ત્યારે ત્યાં કરવુ, ૫. સ્ત્રીસ્વાતંત્ર્ય અન પણું છે, આ સ્ત્રી કદાપિ એવી સ્વત ંત્રતાને ઇચ્છતી નથી, વ્યક્તિરૂપે કાઈ કાઈ ઉત્તમ પણ àાય છે, તથાપિ સર્માષ્ટરૂપે સ્ત્રી ભાગ્ય હાવાથી પુરૂષને તિય આકર્ષણ કરે છે, તેથી તેનું ઘરકામા દારા રક્ષણ કરવું તે જ યાગ્ય છે. વર્તમાનમાં વધી રહેલી રસાઇયા-ચાકરોની પદ્ધતિ ઘણી અહિતકર છે. સપત્તિ, સત્તા, સન્માન વગેરેને પણ પચાવવાની ગંભારતા સ્ત્રીમાં ન હોવાથી બીનજરૂરી અધિક ધન વગેરે તેને આપવાથી હાનિ થાય છે. સ્વત ંત્ર રીતે જ્યાં ત્યાં ફરવાથી જેનો તેના પરિચયથી તેના લદિ ગુણા નાશ પામે છે અને ઉત્તરાત્તર અનેકવિધ દોષોની પરપરા ચાલે છે. ધનના લેાભે સ્ત્રી. નેકરી વગેરેથી કમાય અને માતા, પિતા કે પતિ વગેરે એ ધનથી સુખ ભેળવે, તે કન્યા વિક્રય કરતાં પણ ભયંકર છે. પુત્રીના ઘરનું પાણી પીવામાં પણ પૂર્વકાળે પાપ મનાતું, તે જીવન-વિકાસ માટેનું ગંભીર રહસ્ય હતુ. તેના નાશ થવાયી વધેલી વિડંબના અનુભવસિદ્ધ હાવાથી વિવેચનની જરૂર નથી. ખેતરની ઉત્તમતા પાકમાં કારણ છે, તેમ માનવતિની ઉત્તમતામાં મ!તા તરીકે સ્ત્રીનું ઘણું મહત્ત્વ છે. માતાના લોહીથી ઘડાતા માનવશરીરમાં અને શરીર દ્વારા વતા આત્મામાં માતાના તે તે ગુણ–દે।ષા પ્રગટ થાય છે, માટે સ્ત્રીજીવનની પવિત્રતા માટે આ, અને ખીજી પણ વિવિધ કાળજી રાખવી તે પોતાને જ નાં, માનવ સમાજને, રાષ્ટ્રને અને સમમ વિશ્વને પણ હિતકર છે. વગેરે તત્ત્વ મ અને મધ્યસ્થષ્ટિથી વિચારતાં સમજાય તેવું છે. નિશ્ચય અને વ્યવહાર ધર્મની કે દ્રવ્ય અને ભાવની પરસ્પર સાપેક્ષતાને સમજનાર આ તત્ત્વને યથાર્થરૂપે સમજી શકે તેવું છે. ૬. ગુણીજનની વિનય-હુમાન પૂર્વક સેવા વિના આત્મહિતકર શિક્ષા પ્રાપ્ત થતી નથી. પ્રાપ્ત થાય તો પણ હિત કરતી નથી, માટે કહ્યું છે કે સત્ શિક્ષણ સેવા-વિનયથી મળે છે. વિદ્યાગુરુ પાસેથી પણ ધન ( પગાર ) દ્વારા, સત્તાથી "કે હક્કથી મેળવેલું શિક્ષણ કદાપિ આત્માને હિતકર બનતું નથી. બુદ્ધિને દૂષિત બનાવી અન્યાયના માર્ગે દોરી જાય છે. ગુણાની પ્રાપ્તિ ગુણાથી થાય, ધન–સત્તાના બળે કદાપિ ન થાય, તે વર્તમાન યુગમાં પ્રત્યક્ષ અનુભવાય છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy