________________
ઝ૦ ૨ વ્રતાદિ ઉચ્ચરવાની વિધિ
કરવું. પછી નંદિસૂત્ર શ્રવણ કરી આરો૫ણને કાઉસ્સગ્ન કરે, પછી તે તે વ્રતાદિનું પચ્ચકખાણ અને છેલ્લે સાત ખમાસમણ આપી મંગળ માટે પચ્ચકખાણ કરવું. આ વિષયમાં વિરોલ વિસ્તાર અને દરેક વ્રતાદિનાં પચ્ચકખાણ, તેને અર્થ, વગેરે ધર્મસંગ્રહના મોટા ભાષાન્તરથી જાણવો. અહીં ચોથા ગુણસ્થાનકનું વર્ણન પૂર્ણ થયું. હવે શ્રાવકનાં બાર વ્રતનું સ્વરૂપ વગેરે કહીશું.
એ રીતિએ પરમ ગુરભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય, પંડિત શ્રી શાન્તિવિજય ગણિ ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પજ્ઞ ધર્મસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થ ધર્મના વર્ણનરૂપ પહેલા અધિકારને “તપગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વગત :
મદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણે પેત પૂ. આચાર્ય શ્રી વિજયમને હરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત' ગુજરાતી
ભાષાન્તરને સારે દ્વાર સમાપ્ત થયે.