SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક (૧૧) પ્રમાદમાં તત્પર હોય, “મજ વિસય કસાયા નિદ્રા વિગહા ય પંચ પમાયા, એ વચનથી દારૂ વગેરેનું વ્યસન, શબ્દાદિ વિષયેનું આકર્ષણ, ક્રોધાદિ કષાયે, નિદ્રા અને રાજકથા-લેજનકથા વગેરે વિકથા એ પાંચ પ્રમાદ છે,–એમાં લીન રહે, એને પણ આર્તધ્યાન થયા જ કરે છે. દા. ત. ઉપલક જોતાં એમ લાગે. છે કે “અમે ભેજનની છે એવી કોઈ વાત કરી એમાં આધ્યાન શું?” પરંતુ આ અજ્ઞાનતા છે. આની પાછળ ભેજનના ઈષ્ટ અનિષ્ટની કલ્પના વળગેલી જ છે, એટલે હેજે એ આર્તધ્યાન કરાવે જ, (૧૨) જિનવચનની બેપરવાઈ રાખે એ પણ આર્તધ્યાનમાં રમતું રહે છે. પ્રવે-સદ્ધર્મપરામુખી,કહ્યા પછી આ કહેવાની શી જરૂર પડી? ઉ૦-જરૂર એ કે “સદ્ધર્મપરામુખ” તે ન હેય, કમમાં કમ જીવનમાં સદ્ધર્મનાં જિનવચનની શ્રદ્ધા કરતો હોય, એટલી સન્મુખતા હોય, પરંતુ બીજી બાજુ અર્થ-કામમાં એવો ફસેલો. રહે કે સદ્ધર્મ સાધવાનું બાજુએ રહે. તેથી પણ એ આર્તા ધ્યાનમાં ડૂબે છે. સાગરચંદ્ર શેઠ જિનમૃતિ ભરાવનાર, અને જિનવચન તરફ આકર્ષણ પામનારો બને, છતાં વેપાર-ધંધામાં એ ફૂખ્યા રહ્યો કે એથી આર્તધ્યાનમાં રમતે રહેવાથી તિય - ગતિનું આયુષ્ય ઉપાઈ મરીને જિતશત્રુ રાજાના ઘોડા તરીકે અવતાર પામે; જેને ત્રિલોકનાથ મુનિસુવ્રત ભગવાને આવી પ્રતિબંધ પમાડયો. ક્ષણવારનું પણ આવું આર્તધ્યાન જીવને ભૂલો પાડી દે છે. ભગવાન પાર્શ્વનાથને જવ પ્રથમ ભવે મરુભૂતિ જિનવચનને આદર કરનાર અને શ્રાવકધર્મ સુંદર
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy