SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લધ્યાન ૯ રૂપી મંત્રના સ મ વાળા છદ્મસ્થ એ મનને ત્રિભુવનમાંથી ક્રમશઃ સકાચતાં સકાચતાં ઠેઠ એક પરમાણુ ઉપર લાવી સ્થિર કરીને એ પરમાણુ પર પણ નથી રહેવા દેતા, કિન્તુ ત્યાંથી પશુ દૂર કરી દે છે, એ યુક્તિયુક્ત છે. જિન-કેવળજ્ઞાની રૂપ શ્રેષ્ઠ વૈદ્ય વળી અચિંત્ય શલેશીકરણના પ્રયત્નથી ત્રણે ચેાગને નષ્ટ કરે છે, એ પણ યુક્તિયુક્ત છે. (૨) અગ્નિ સ’કાચનું દૃષ્ટાન્તઃ— એમ, જેવી રીતે ઘણાં લાકડાંથી માટે અગ્નિ સળગતા હાય, પરંતુ જો લાકડાં ક્રમશઃ ખેંચી લેવામાં આવે, તે અગ્નિ આછા થતા થતા, છેવટે બહુ અપ લાકડાં રહુંચે અગ્નિ એટલામાં જ કેન્દ્રિત થઈ જાય છે. તે એટલા પશુ લાકડાં ખેંચી લેવાતાં અગ્નિ તદ્દન એલવાઇ જાય છે. એવી રીતે મન પણ દુ:ખદાહનું કારણ હાઈ અગ્નિ જેવા છે. એ ત્રિભુવનના વિષયરૂપી લાકડાં પર ભારે પ્રજવલિત રહી દિલમાં મહા દાહ કરે છે. મનનુ' જેટલુ વધારે વિષયમાં ભળવાનું, તેટલા રાગ-દ્વેષ-ચિત વગેરે વધુ ભભકવાના. એથી જીવને ભારે દાઝવાનું-ખળવાનું થાય. હવે શુકલધ્યાની એ વિષયામાં સર્કાચ કરે, સ`કેચ કરતાં કરતાં એક પરમાણુ રૂપ વિષયે ધણુ પર્યન્ત આવી જાય, એટલે સહુજ છે કે મન એટલા પર જ સ્થિર થવાનુ પછી તે શૈલેશીકરણના આચિંત્ય પ્રયત્નથી એટલા પરથી પણ મનને ખસેડી લેતાં એ મન-અગ્નિ વિષય વિના શાંત થઈ જાય એ સહજ છે. (૩) પાણીના હાસનું દૃષ્ટાન્તઃ— જેવી રીતે કાચા ઘડામાં પાણી ભરેલું હેાય, તેા એ ધીમે ધીમે બહાર ઝરી ઝરીને ક્રમશઃ એન્ડ્રુ થતું આવે છે, અથવા
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy