SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક ૧૫૭ ધર્મધ્યાન એ સુબા, અથ ની રાએ 3 શબ્દ, ઈત્યાદિ ૩ર થી રહિત જિનવચન હોય છે. એમ જિનવચન કેઈ પણ પાપને આદેશ-ઉપદેશ કરતાં નથી. એટલા માટે પણ એ નિષ્પાપ નિરવ વચન છે. છે અથવા આ “નિરવ શબ્દને, આગળ “ચિત ક્રિયાપદ કહેવું છે, એનું વિશેષણ સમજી શકાય; એમાં “નિરવદ્ય રીતે ચિંતવન કરે” એ અર્થ થતાં “નિરવઘ'નો અર્થ “નિર્દોષ રીતે ” યાને “આ લોક પરલેકના સુખાદિની આશંસા રાખ્યા વિના” એ થાય. ધર્મધ્યાન તે સારું કરે, પરંતુ સાથે એનાં ફળરૂપે દુન્યવી કોઈ ધન, માન, કીતિ વગેરેની આશંસા-આકાંક્ષા રાખે તે એ ધ્યાન-ચિંતન નિરવદ્ય-નિર્દોષ રીતે કર્યું ન ગણાય. એ સમજવું જોઈએ કે “અદ્ભુત કર્મક્ષય અને જબરદસ્ત પુપાર્જન કરી આપનારું આટલું સુંદર ધર્મધ્યાન મળ્યું તે પછી એનાં ફળરૂપે તુચ્છ, નાશવંત અને મારક ફળની આકાંક્ષા શી. કરવી? એ કરવામાં તે ધર્મધ્યાનના સંસ્કારને બદલે અતિ ઈચ્છિત તુચ્છ જડની લાલસાના સંસ્કાર દઢ બને છે, જે અનેક દુર્ગતિના ભવમાં ભટકાવે છે. એટલા માટે શાસે કહ્યું છે કે “ને ઈહલેગયાએ, ને પરલગઠ્ઠયાએ, ને પરારિ ભવઓ અહં નાણ.” અર્થાત્ “હું જ્ઞાની છું યાને જ્ઞાન–ધ્યાન કરવાવાળો છું તે આ લોકના (સુખના) હેતુએ નહિ, પરલોકના (સુખના) હેતુએ નહિ, તેમજ બીજાના અપમાનના હેતુએ નહિ,'એમ નિર્દોષ રીતે ધ્યાન કરે. (૧૨) “અનિપુણજન દુચ અહે! અશુભ મતિવાળાથી સમજમાં ન આવે એવું જિનવચન કેવું ગંભીર કે સુમતિ
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy