SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ હોય એવો મહાવ્યાધિ ઉત્પન્ન થયે છતે તે પુરુષ તેમના પ્રતિબંધથી એવો વિચાર કરે કે આ માતાપિતાદિક ઔષધ વિના અવશ્ય મરણ પામશે. અને ઔષધ હશે તો મરણમાં સંદેહ છે. એટલે કે કદાચ જીવશે પણ ખરા. વળી આ માતાપિતાદિક કાળને સહન કરે તેવા છે. ટૂંક સમયમાં મરી જાય તેમ નથી એમ વિચારી તેમના ભોજન આચ્છાદન વિગેરે માટે તથા નિર્વાહ માટે સારી ગોઠવણ કરીને તેમના ઔષધ નિમિત્તે તથા પોતાની આજીવિકા નિમિત્તે તેમનો ત્યાગ કરે તે ત્યાગ સારો છે. કેમ કે આ ત્યાગ ફરીથી પરિણામે તેમનો સંયોગ કરનાર હોવાથી વાસ્તવિક રીતે અત્યાગ છે. અને જો ઔષધાદિક માટે તેમનો ત્યાગ ન કરે તો તેવો અત્યાગ પરિણામે મરણજનક થવાથી વિયોગરૂપ હોવાથી વાસ્તવિક રીતે ત્યાગરૂપ જ છે. આ બાબતમાં પંડિતોને ફળની જ, પરિણામની જ પ્રધાનતા-મુખ્યતા છે. એમ નિપુણ બુદ્ધિથી પરિણામદષ્ટિ રાખનારા ધીર પંડિત પુરુષો કહે છે. તે પુરુષ તે માતાપિતાદિકને ઔષધ લાવી આપવા વડે સંભવ હોવાથી જીવાડે. આ રીતે ત્યાગ કરવો તે પુરુષને ઉચિત છે. सूत्रम्-३ १०३
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy