SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષણની પ્રસિદ્ધિ ન હોવાથી આત્માને આશ્રયીને કરેલા અનુષ્ઠાનના ફળની અનુપત્તિ થાય છે. સર્વથા વિનાશ થતો હોવાથી અનંતર ક્ષણની સાથે તેની પૂર્વેના ક્ષણનો કોઈ જ સંબંધ રહેતો નથી. બંન્ને ક્ષણો સર્વથા ભિન્ન જ છે. અન્યથા, ભાવથી જ ભાવની અર્થાત્ પૂર્વેક્ષણથી જ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થાય છે – એમ માનવામાં આવે તો પૂર્વેક્ષણ ઉત્તરક્ષણનું અંગ હોવાથી પૂર્વેક્ષણ જ ઉત્તરક્ષણમાં પરિણત છે અર્થાત્ પૂર્વેક્ષણ ઉત્તરક્ષણ સ્વરૂપે (પરિણામીભાવે) વિદ્યમાન છે – એમ માનવું જોઈએ અને તેથી પૂર્વેક્ષણ જ કથંચિકારણરૂપે) અભાવરૂપે થઇને ઉત્તરક્ષણસ્વરૂપે પરિણામ પામેલો હોવાથી પૂર્વેક્ષણસ્વરૂપ પદાર્થની સ્થિતિ બે ક્ષણ માટે હોવાના કારણે ધ્રૌવ્ય(સ્થિરત્વ) સિદ્ધ થશે, જે ક્ષણિકવાદીને અનિષ્ટ છે. સર્વથા અસહ્યી સરૂપ પરિણામ થાય છે – એ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે સર્વથા અસત્ એવા ખરવિષાણ(ગધેડાના શિંગડા)માં ઉત્તરક્ષણસ્વરૂપ ભાવમાં પરિણમવાની શક્તિ નથી. સમાન ક્ષણાંતરની સામગ્રીમાં અત્યંત યોગ્યતાવિશિષ્ટ જે શક્તિ છે તેનાથી જ પૂર્વેક્ષણ ઉત્તરક્ષણમાં પરિણમે છે, જે વસ્તુની સ્થિરતા વિના શક્ય નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. ર૫-૮ किं च क्षणिको ह्यात्माभ्युपगम्यमानः स्वनिवृत्तिस्वभावः स्यात्, उतान्यजननस्वभावः, उताहो उभयस्वभावः ? इति त्रयी गतिः, तत्राद्यपक्षे आह આત્માને સર્વથા ક્ષણિક માનનારના મનમાં પ્રકારોતરથી દોષ જણાવાય છે – હિંદ ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે ક્ષણિક આત્માને સ્વીકારીએ તો પોતાની મેળે નિવૃત્તિના સ્વભાવવાળો તે છે, તેથી તે ક્ષણિક છે કે પછી બીજાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો હોવાથી તે ક્ષણિક છે; કે પછી બંન્ને સ્વભાવવાળો હોવાથી તે ક્ષણિક છે - આ ત્રણ પક્ષ-વિકલ્પ છે. તેમાંથી પ્રથમ અને દ્વિતીય પક્ષમાં જે દોષ છે તે જણાવાય છે– स्वनिवृत्तिस्वभावत्वे, न क्षणस्यापरोदयः । अन्यजन्मस्वभावत्वे, स्वनिवृत्तिरसङ्गता ॥२५-९॥ स्वनिवृत्तीति-स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्यात्मक्षणस्य अभ्युपगम्यमाने । नापरोदयः सदृशोत्तरक्षणोत्पादः स्यात् । पूर्वक्षणस्योत्तरक्षणजननास्वभावत्वात् । द्वितीये त्वाह-अन्यजन्मस्वभावत्वे सदृशापरक्षणोत्पादकस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता, तदजननस्वभावत्वादेव ।।२५-९।। “આત્મસ્વરૂપ ક્ષણનો સ્વનિવૃત્તિ સ્વભાવ હોય તો પોતાની જેવા બીજા ક્ષણની ઉત્પત્તિ નહીં થાય. આત્મસ્વરૂપ ક્ષણનો અન્યક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય તો પોતાની નિવૃત્તિ અસંગત છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો ભાવ સ્પષ્ટ છે કે પોતાની નિવૃત્તિના સ્વભાવવાળા આત્મસ્વરૂપ ક્ષણનો સ્વીકાર કરવામાં આવે તો સ્વસદશ બીજા ક્ષણની એક પરિશીલન ૪૧
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy