SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ अस्यामिति-अस्यां प्रभायां व्यवस्थितो योगी त्रयमदो निरोधसमाध्येकाग्रतालक्षणं निष्पादयति साधयति । ततश्चेयं प्रभा सत्प्रवृत्तिपदावहा विनिर्दिष्टा, सर्वैः प्रकारैः प्रशान्तवाहिताया एव सिद्धेः ।।२४-२५।। “શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ધ્યાનસારા પ્રમા.. આ (૧૭) શ્લોકમાં પ્રભાષ્ટિને સત્યવૃત્તિપદાવહા' સ્વરૂપે વર્ણવી છે. એનું જ કારણ છે તે જણાવવા માટે આ શ્લોક છે. આ સાતમી પ્રભાષ્ટિમાં રહેલા યોગી નિરોધ, સમાધિ અને એકાગ્રતા : આ ત્રણને સાધે છે. તેથી આ દષ્ટિને સત્યવૃત્તિપદને વહન કરનારી કહેવાય છે. કારણ કે નિરોધાદિની સાધનાથી બધી રીતે પ્રશાંતવાહિતાની (જુઓ ગ્લો.નં. ૨૨) જ સિદ્ધિ થાય છે, જે અસંગાનુષ્ઠાન સ્વરૂપ છે... ઈત્યાદિ આ પૂર્વે જણાવ્યું છે. ૨૪-૨પા. હવે આઠમી પરાદષ્ટિનું વર્ણન કરાય છે– समाधिनिष्ठा तु परा, तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च, तदुत्तीर्णाशयेति च ॥२४-२६॥ समाधीति-परा तु दृष्टिः समाधिनिष्ठ वक्ष्यमाणलक्षणसमाध्यासक्ता । तदासङ्गेन समाध्यासङ्गेन विवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च सर्वाङ्गीणैकत्वपरिणतप्रवृत्तिश्च चन्दनगन्धन्यायेन । तदुत्तीर्णाशयेति च सर्वथा विशुद्धया प्रवृत्तिवासकचित्ताभावेन ।।२४-२६।। “સમાધિથી યુક્ત અને સમાધિના આસંગથી રહિત પરાદષ્ટિ છે. તેમાં પ્રવૃત્તિ આત્મસાતુ થયેલી હોય છે. તેમ જ કોઈ પ્રવૃત્તિ કરવાના આશયથી એ ઉત્તીર્ણ(રહિત) હોય છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે યમ-નિયમાદિ આઠ યોગનાં અંગોમાંથી છેલ્લા આઠમા “સમાધિ અંગની પ્રાપ્તિ થાય છે, તેથી આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ (સમાધિથી આસક્ત-વ્યાપ્ત) કહેવાય છે. હવે પછી સમાધિનું સ્વરૂપ વર્ણવાશે. ખેદ, ઉદ્વેગાદિ યોગબાધક આઠ દોષોમાંનો આસંગ નામનો આઠમો દોષ પણ આ દૃષ્ટિમાં ન હોવાથી સમાધિ; આસંગથી રહિત હોય છે. પ્રાપ્ત થયેલા તે તે ગુણસ્થાનકને જ સારા માનવાથી ઉત્તરોત્તર ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાનું અશક્ય બનાવવાનું કાર્ય આસંગદોષ કરે છે. “આ જ અનુષ્ઠાન સરસ છે. આવા પ્રકારની બુદ્ધિને આસંગ-અભિવંગ કહેવાય છે. આવી બુદ્ધિના કારણે બહુ બહુ તો તે અનુષ્ઠાન સુરક્ષિત રહે છે. પરંતુ તેથી ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. આ સ્થિતિમાં સાધકને ઈષ્ટ સ્થાને પહોંચવાનું શક્ય બનતું નથી. તેથી એક રીતે વિચારીએ તો પૂર્વે કરેલી સાધના નિરર્થક બની જાય છે. પ્રવૃત્તિની સાર્થકતા ઈષ્ટની પ્રાપ્તિથી છે, અધવચ્ચે અટકી જવામાં નથી – એ વાતને આ દૃષ્ટિમાં સારી રીતે સમજી શકાય છે. આ દષ્ટિમાં આસંગદોષથી રહિત પ્રવૃત્તિ હોવાથી તે આત્મસાતુ થયેલી હોય છે. ચંદનનો ગંધ જેમ એકરૂપ થયેલો હોય છે તેમ અહીં આત્માની સાથે પરિણામની સાથે) બધી રીતે એકરૂપ એક પરિશીલન ૨૭.
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy