SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ॥३२-२॥ “સજ્જનો હોતે છતે જો દુર્જને પોતાનું બળ બતાવે તો તેને બળવાન કહેવાય. શું સૂર્ય ન હોય ત્યારે અંધકારનું પણ બળ વર્ણવાય છે ખરું?” – આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુર્જન સજ્જનની અપેક્ષાએ ક્યારે પણ બળવાન હોતા નથી. સજ્જનોની ઉપસ્થિતિ ન હોય ત્યારે તેઓ વાદ-પ્રતિવાદ જોરશોરથી કરતા હોય છે અને સામાન્ય લોકોમાં તેઓ સમર્થ તરીકે પોતાની છાપ ઉપસાવતા હોય છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી હોતી નથી. સજજનોની ઉપસ્થિતિમાં દુર્જન પોતાના સામર્થ્યને પ્રદર્શિત કરે તો ચોક્કસ જ તે દુર્જનને બળવાન કહી શકાય. પરંતુ એવું બનતું નથી. સજ્જનોની શ્રદ્ધા, માર્ગાનુસારિણી પ્રજ્ઞા અને તાત્ત્વિક પ્રવૃત્તિના સામર્થ્યની સામે ટકી રહેવાનું સામર્થ્ય દુર્જનમાં ક્યારેય ય નથી હોતું. આમ છતાં સજ્જનોની અવિદ્યમાનતામાં દુર્જનો કોઈ વાર પોતાના બળનું પ્રદર્શન કરતા પણ હોય છે. એનો અર્થ એ નથી કે તેઓ બળવાન છે. કારણ કે રાત્રિને વિશે સૂર્ય ન હોય ત્યારે અંધકાર સર્વત્ર પ્રસરે છે. તેથી કાંઈ સૂર્ય કરતાં અંધકારનું બળ (સામર્થ્ય-પ્રભાવ) અધિક છે : એમ થોડું મનાય છે? સજ્જનો સૂર્ય જેવા છે અને દુર્જનો અંધકાર જેવા છે. સૂર્યની ઉપસ્થિતિમાં જયાં અંધકારનું અસ્તિત્વ જ શક્ય નથી, ત્યાં તેની બળવત્તાની વિચારણાનો અવકાશ જ કઈ રીતે સંભવે? સજ્જનોની સામે આવવાનું જ જ્યાં દુર્જનને શક્ય નથી ત્યાં તેની સામે થવાનો પ્રસંગ જ ક્યાંથી હોય... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩ર-રા સજજન અને દુર્જનના પરિચય માટે લિંગો જણાવાય છે– दुर्जनस्य रसना सनातनी, सङ्गतिं न परुषस्य मुञ्चति । सज्जनस्य तु सुधातिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ॥३२-३॥ “દુર્જનની જીભ હંમેશાં કઠોર વચનની સંગતિને છોડતી નથી; પરંતુ સજ્જનની જીભ હંમેશાં અમૃતથી પણ ચઢિયાતા એવા મધુર અને કોમલ વચનની જ સંગતિને છોડતી નથી.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, દુર્જનનો સ્વભાવ જ છે કે તે કાયમ માટે કઠોર જ બોલ્યા કરે છે. કોઈ વાર અત્યંત સ્વાર્થને પ્રાપ્ત કરવા મધુર બોલે ત્યારે પણ હૃદયમાં ખૂબ જ કઠોરતા ભરી હોય છે. આનાથી તદ્દન વિપરીત સ્વભાવ સજ્જનોનો હોય છે. તેઓ હંમેશા અમૃતથી પણ અધિક મધુર અને કોમલ વચન જ બોલતા હોય છે. કોઈ વાર સામા માણસની યોગ્યતા જોઇને હિતબુદ્ધિએ કઠોર વચન પણ બોલતા હોય ત્યારે હૈયાની એક પરિશીલન ૨૫૭
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy