________________
પરમાત્મસ્વરૂપ બનાવીએ તો જ આપણે પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું... વગેરે જણાવ્યું છે. આ બત્રીશીના છેલ્લા ત્રણ શ્લોકો મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવા જોઈએ.
પરમાત્મા પરમાત્મા કઈ રીતે બન્યા; તેઓશ્રીએ તારક તીર્થની સ્થાપના કેમ કરી અને ધર્મદેશના દ્વારા આપણી ઉપર તેઓશ્રીએ કઈ રીતે અનુગ્રહ ર્યો : એ બધાનો વિચાર કરવાથી પરમાત્માના અનુગ્રહનું વાસ્તવિક સ્વરૂપ આપણે સમજી શકીશું. માર્ગદર્શક પરમાત્મા આપણને માર્ગે ચલાવતા નથી. એ કામ તો આપણે જાતે જ કરવાનું છે. અનન્યસાધારણ માર્ગદર્શન પરમાત્માએ કરાવ્યું છે અને અનન્યસાધારણ પુરુષાર્થ આપણે કરવાનો છે. અંતે પરમાત્માના પરમતારક માર્ગદર્શનને અનુસરી દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગે ચાલવાના એ પુરુષાર્થનો પ્રારંભ કરી પરમાત્માના અનુગ્રહના પાત્ર બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
ઇશાનુગ્રહવિચાર બત્રીશી