SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ संविग्नो भवनिर्वेदादात्मनिःसरणन्तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ॥१५-१५॥ संविग्न इति–संविग्नः “तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रन्थसन्दर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥१॥” इतिकाव्योक्तलक्षणसंवेगभाक् । भवनैर्गुण्यात् संसारवैरस्याद् । आत्मनिःसरणं तु जरामरणादिदारुणदहनात्स्वनिष्कासनं पुनः । यश्चिन्तयतीति गम्यते । आत्मार्थसम्प्रवृत्तः स्वप्रयोजनमात्रप्रतिबद्धचित्तोऽसौ । सदा निरन्तरं । स्याद्भवेद् । मुण्डकेवली द्रव्यभावमुण्डनप्रधानस्तथाविधबाह्यातिशयशून्यः केवली पीठमहापीठवत् ।।१५-१५।। ભવના નિર્વેદના કારણે જે સંવિગ્ન આત્મા ભવથી પોતાના આત્માને બહાર કાઢવા માટે ચિંતવે છે, તે પોતાના જ પ્રયોજનમાં પ્રવૃત્ત હોવાથી મુણ્ડ-કેવલી બને છે.” – આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે – હિંસાનો પ્રબંધ જેમાંથી ધ્વસ્ત થયો છે; એવા તથ્ય ધર્મને વિશે; રાગ, દ્વેષ અને મોહથી રહિત એવા દેવને વિશે તેમ જ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત એવા સાધુ મહાત્માને વિશે નિશ્ચલ જે અનુરાગ છે; તેને સંવેગ કહેવાય છે. આવા સંવેગને પામેલા આત્માને સંવિગ્ન કહેવાય છે. સંસારની વિરસતાને ભવનૈગુણ્ય કહેવાય છે અને જરા-મરણાદિ સ્વરૂપ ભયંકર અગ્નિસ્વરૂપ ભવથી પોતાના આત્માને દૂર કરવા સ્વરૂપ અહીં આત્મનિઃસરણ છે. સંસારની વિરસતાથી જે સંવિગ્ન આત્મા પોતાના આત્માને સંસારથી દૂર કરવાનું ચિંતવે છે, તે આત્મા સદા પોતાના જ પ્રયોજનમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો હોવાથી મુણ્ડકેવલી બને છે. દ્રવ્યથી અને ભાવથી મુંડનની પ્રધાનતા હોવાથી તેને મુણ્ડ કહેવાય છે. કેવલજ્ઞાની બનતા હોવાથી તેઓ કેવલજ્ઞાની છે. પરંતુ બાહ્ય અતિશયથી રહિત હોવાથી તેઓ મુણ્ડકેવલી છે. સાધુપણામાં સંયમની સુંદર આરાધના કરવાથી પીઠ અને મહાપીઠ સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવ બનીને બીજા ભવમાં કેવલજ્ઞાની થયા. પરંતુ શ્રી તીર્થંકર પરમાત્માદિ ન થયા. કારણ કે તેઓ પોતાના જ અર્થમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હતા... ઇત્યાદિ સ્પષ્ટ છે. II૧૫-૧૫ શિષ્ટપુરુષનું લક્ષણ પણ સમ્યગ્દષ્ટિમાં સંગત છે તે જણાવાય છે अंशतः क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् । अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ॥१५-१६॥ अंशत इति-अंशतो देशतः । क्षीणदोषत्वाद्दोषक्षयवत्त्वात् । शिष्टत्वमपि । अत्रैव सम्यग्दृष्टावेव । युक्तिमद् न्यायोपेतं । “क्षीणदोषः पुरुषः शिष्टः” इतिलक्षणस्य निर्बाधत्वात् । सर्वदोषक्षयेण सर्वथा शिष्टत्वस्य सिद्धे केवलिनि वा विश्रान्तत्वेऽपि सम्यग्दृष्टेरारभ्य देशतो विचित्रस्य शिष्टत्वस्यान्य એક પરિશીલન ૨૮૫
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy