________________
સ્થાને પહોંચી જાય છે. તેથી જ તેઓ માર્ગમાં પણ સ્થિર રહે છે. પ્રાપ્ત થતાં દુઃખ કે સુખને વિચારવાથી માર્ગમાં સ્થિરતા મળતી નથી. “ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ અટકી જાય કે વિલંબમાં મુકાય.” એવું તો કોઈ ન કરે ! આવી જ રીતે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા આત્માઓનું ચિત્ત પ્રસન્ન હોવાથી સમાહિત(સમાધિથી પૂર્ણ) હોય છે. ગમે તેટલાં પરીષહાદિ કષ્ટો આવે તો ય તેને તે આત્માઓ ગણકારતા નથી તેમ જ પુણ્યના ઉદયથી ગમે તેટલાં સુખો મળે તો ય તેની સામે જોતા પણ નથી અને ગંતવ્ય માર્ગે અવિરતપણે ચાલ્યા જ કરે છે, તે તેમના ચિત્તની સ્થિરતાનું અવલંબન છે... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. /૧૩-૩૫ પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છે–
अधिकारित्वमित्थं चापुनर्बन्धकतादिना ।
મુવીષને ચાત, પરમાનન્દરમ્ ૧૩-૩૨ जीवातुरित्याद्यारभ्याष्टश्लोकी सुगमा ।।१३-३२।।
“આ રીતે અપુનર્બન્ધકતાદિ વડે મુક્યષના ક્રમે પરમાનંદના કારણભૂત એવી અધિકારિતાની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગનું અધિકારિત્વ છે. ગુરુદેવાદિપૂજાસ્વરૂપ યોગની પૂર્વસેવા છે. અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓની એ યોગની પૂર્વસેવા ન્યાયકોટિની બને છે. એની પૂર્વેની યોગની પૂર્વસેવા વિવક્ષિત ફળનું કારણ બનતી નથી. યોગબિંદુમાં બચેલા.. 1999આ શ્લોકથી જણાવ્યું છે કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓને ગુરુદેવાદિપૂજા વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવા મુખ્ય(ઉપચારથી રહિત) - તાત્ત્વિક હોય છે અને બીજા આત્માઓને તે અતાત્ત્વિક હોય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્યષ તો સામાન્ય રીતે અભવ્યોના આત્માઓને પણ હોય છે. પરંતુ અપુનર્બન્ધક અવસ્થા અભવ્યોને પ્રાપ્ત થતી નથી. ક્યારે ય તેઓ એ અવસ્થાને પામવાના નથી. તેથી અહીં યોગની પૂર્વસેવાના અંગભૂત મુજ્યદ્વેષ સદનુષ્ઠાનના રાગના જનક તરીકે વિવક્ષિત છે. તેવો મુજ્યદ્વેષ અપુનર્બન્ધકદશાને પામ્યા વિના પ્રાપ્ત થતો નથી. અપુનર્બન્ધાવસ્થાની પૂર્વેના મુજ્યદ્વેષથી યોગની પૂર્વસેવા ઉપચારવાળી(ઔપચારિક) હોય છે. માટે એ મુક્યષની વિચારણા કરી નથી. આથી સમજી શકાશે કે અહીં અપુનર્બન્ધકદશા પછીના મુજ્યદ્વેષનું વર્ણન કર્યું છે. તેની પૂર્વેના મુજ્યદ્વેષનું વર્ણન અહીં પ્રસ્તુત નથી. યોગની પૂર્વસેવાના અંગભૂત મુજ્યદ્વેષનું જ અહીં મુખ્યપણે વર્ણન કર્યું છે, જેથી પરમાનંદપદની પ્રાપ્તિની અધિકારિતા પ્રાપ્ત થાય છે.
૨ ૨૬
મુજ્યષપ્રાધાન્ય બત્રીશી