SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓનો એક પુદ્ગલપરાવર્ત્ત કાળ છે. અનાદિકાલીન આ સંસારમાં અનંતા પુદ્ગલપરાવર્તો વીત્યા છે. માત્ર એક પુદ્ગલપરાવર્ત્તકાળનો વિચાર કરીએ તો સમજાશે કે એ કાળ જ કેટલો વિશાળ છે. એની અપેક્ષાએ વીતેલો કાળ તો અનંતગુણો છે. વ્યતિક્રાંત અનંતાનંત પુદ્ગલપરાવર્ત્તકાળની અપેક્ષાએ ચરમાવર્ત્તકાળની તો કોઇ ગણતરી નથી. સમુદ્રની અપેક્ષાએ બિંદુ જેવા એ કાળમાં કોઇ જ ભયનું સ્થાન નથી. કારણ કે એમાં મુક્તિ સુનિશ્ચિત છે. ૧૩-૨૮॥ ચ૨માવર્ત્તકાળમાં મુક્તિની આસન્નતા હોવાથી ચિત્તમાં આનંદ થવા છતાં મોક્ષસાધક તે તે અનુષ્ઠાનો કરતી વખતે પીડા તો થાય ને ? - એ શંકાનું સમાધાન કરાય છે— मनोरथिकमित्थं च, सुखमास्वादयन् भृशम् । પોચતે યિયા નૈવ, વાઢું તત્રાનુરખ્યતે ।।૧રૂ-૨થી “આ રીતે મનોરથના કારણે ઉત્પન્ન થયેલા સુખને સારી રીતે અનુભવતો એવો તે ક્રિયાથી પીડાને પ્રાપ્ત કરતો જ નથી, પરંતુ ક્રિયામાં સારી રીતે અનુરાગી બને છે.” આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે - સત્સાધકને જેમ હજુ સિદ્ધિ મળી ન હોવા છતાં નજીકમાં જ તે પ્રાપ્ત થવાની છે તેના આનંદનો અનુભવ થવાથી વેતાલદર્શનાદિથી ભય થતો નથી અને મંત્રસાધનાદિમાં ખેદ થતો નથી. તેમ અહીં પણ ચરમાવર્ત્તવર્તી આત્માને મોક્ષ મળવાનો છે : એના નિશ્ચયથી માનસિક આનંદના અતિશયથી કોઇ પણ પ્રકારનો ભય થતો નથી. તેમ જ તે તે અનુષ્ઠાનમાં પીડાનો અનુભવ થતો નથી, પરંતુ તે તે ક્રિયામાં સારી રીતે અનુરાગી બને છે. સામાન્ય રીતે અહીં જણાવેલી વાતનો અનુભવ વ્યવહારમાં પણ આપણને નિયમિતપણે થતો હોય છે. આપણી મનગમતી ચીજ મળશે : એનો નિર્ણય થવામાત્રથી જે આનંદનો અનુભવ થાય છે, તે વર્ણવી ના શકાય એવો હોય છે. તેવા સંયોગોમાં જે પણ ક્રિયા કરવી પડે તે કરતી વખતે પીડાનો અનુભવ થતો નથી. ઉપરથી તેની પ્રત્યે અનુરાગ વધે છે. આવી જ દશા ચરમાવર્ત્તવર્તી આત્માને અનુભવવા મળે છે - તે સમજી શકાય છે. ચરમાવર્તમાં મુક્યદ્વેષે, મનોરથથી ઉત્પન્ન થયેલા સુખનો સ્વાદ લેતી વખતે પીડાના બદલે અનુરાગ વધે એમાં આશ્ચર્ય નથી. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની કલ્પના પણ અત્યંત રમણીય છે. આજનો આપણો પુરુષાર્થ તમ્મૂલક છે. મેળવ્યું કેટલું અને મળવાનું છે કેટલું ઃ એનો વિચાર કરીએ તો સમજાશે કે સુખ મળશે એની કલ્પનાથી વર્તમાનમાં આપણે સુખી છીએ. બાકી તો જે મળ્યું છે એમાં આનંદ નથી. પરંતુ ભવિષ્યમાં આનાથી સારું મળશે એની કલ્પનાથી જ આપણું જીવન ચાલ્યા કરે છે. સંસારમાં સુખ મળશે જ - એની ખાતરી નથી. અનંતજ્ઞાનીઓના કહેવા મુજબ એ નથી જ મળવાનું, : એક પરિશીલન - ૨૨૩
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy