________________
માર્ગાનુસારિણી બને છે.” આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે - ઉપર જણાવ્યા મુજબ અભવ્યોના આત્માઓને મુક્તદ્વેષ હોય છે તેમ જ તેઓ નવ પૂર્વ સુધીનું અધ્યયન પણ કરતા હોવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ત્રનું શ્રવણ પણ કરે છે, તો તેમની ફ્લેચ્છા બાધ્ય કેમ થતી નથી? - આ શંકાનું સમાધાન બાવીશમા શ્લોકથી કરાય છે.
એનું તાત્પર્ય એ છે કે – અબાધ્ય એવી ફળની ઇચ્છા, મોક્ષનિરૂપક શાસ્ત્રશ્રવણનો ઘાત કરનારી અર્થાત્ એ પુણ્યશ્રવણથી જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળનો પ્રતિબંધ કરનારી હોય છે. આવી અબાધ્ય ફ્લેચ્છા હોય ત્યારે તેવી ઇચ્છાવાળા જીવોને જયારે જયારે મોક્ષના શાસનું શ્રવણ કરવાનો પ્રસંગ આવે ત્યારે તે વિષયમાં વિરુદ્ધત્વની બુદ્ધિ થતી હોવાથી તે શાસ્ત્રનું શ્રવણ સ્વરસથી થતું નથી. પોતાના ઇષ્ટમાં વ્યાઘાત ન થાય એ માટે તે કરવું પડે છે. તેથી અબાધ્ય એવી ફળની ઇચ્છાથી મોક્ષાર્થશ્રવણનો ઘાત થાય છે. કારણ કે એ શ્રવણ મોક્ષ માટે થતું નથી.
આથી સમજી શકાય છે કે અબાધ્ય ફલેચ્છાથી અન્ય(બાધ્ય) ફલેચ્છા હોય ત્યારે મુક્તષ હોતે છતે સમુચિતયોગ્યતાથી મોક્ષ માટે સ્વારસિક શાસશ્રવણ થાય છે, જેથી બુદ્ધિ માનુસારિણી બને છે. સમ્યજ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગને અભિમુખ બુદ્ધિ થવાથી તીવ્ર મિથ્યાત્વાદિ પાપોનો ક્ષય થવાથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, જેના મૂળમાં બાધ્ય લેચ્છા છે. અભવ્યાદિની ફલેચ્છા કોઈ પણ રીતે બાધ્ય થતી ન હોવાથી તેમને કોઈ પણ રીતે સદનુષ્ઠાન પ્રત્યે અલ્પ પણ રાગ થવાનો સંભવ નથી. સ્વર્ગાદિ ફળની ઈચ્છા ખૂબ જ ભયંકર છે. એને બાધિત બનાવવાનું અદ્ભુત સાધન ઉપદેશ છે. ૧૩-૨રા
સૌભાગ્યાદિફ્લેચ્છા હોવા છતાં એ બાધ્ય હોય તો અનુષ્ઠાન, તહેતુ-અનુષ્ઠાન સ્વરૂપ બની રહે છે એ જણાવવા દ્વારા બાધ્ય ફલેચ્છાના સદનુષ્ઠાનરાગ-પ્રયોજકત્વનું સમર્થન કરાય છે–
तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् ।
મુઘમાપ્રવેશાય, વયૉડથત પર્વ ૨ ૦૩-૨૩ો तत्तदिति-तत्तत्फलार्थिनां सौभाग्यादिफलकाक्षिणां । तत्तत्तपो रोहिण्यादितपोरूपम् । अत एव तन्त्रे प्रदर्शितम् । अत एव मुग्धानां मार्गप्रवेशाय दीयतेऽपि गीतार्थः । यदाह-"मुद्धाण हियट्ठया सम्मं” । न होवमत्र विषादित्वप्रसङ्गो न वा तद्धेतुत्वभङ्गः, फलापेक्षाया बाध्यत्वाद् । इत्थमेव मार्गानुसरणोपपत्तेः 93-૨૩/l.
સૌભાગ્યાદિ તે તે ફળના અર્થીઓ માટે આથી જ તે તે તપ શાસ્ત્રમાં જણાવ્યું છે અને તેથી જ મુગ્ધ જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ગીતાર્થ પુરુષો દ્વારા અપાય પણ છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો સાર એ છે કે સામાન્ય રીતે મુગ્ધ જીવો શરૂઆતમાં સારાસારનો વિવેક કરવા માટે સામર્થ્ય ધરાવતા હોતા નથી. સૌભાગ્યાદિફળની કામનાથી તેઓ
૨૧૮
મુજ્યષપ્રાધાન્ય બત્રીશી