________________
મુક્તિ પ્રત્યેના દ્વેષના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો દોષ સ્વરૂપ જે કારણે મનાય છે, તે જણાવાય છે–
मुक्त्यद्वेषान्महापायनिवृत्त्या यादृशो गुणः ।।
गुर्वादिपूजनात् तादृक्, केवलान्न भवेत् क्वचित् ॥१३-७॥ મુક્ષ્યષતિ–સ્પષ્ટ: I9રૂ-ગાં
આશય એ છે કે – મુક્તિ પ્રત્યેના દ્વેષ અને અષના કારણે ગુરુપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનો અનુક્રમે અન્યાય અને ન્યાપ્ય બને છે – એનું જ કારણ છે, તે જણાવાય છે. ગુર્નાદિકની પૂજા વગેરે અનુષ્ઠાનો તો એકસરખાં જ છે તો મુક્યષાદિના કારણે એમાં ભેદ શા માટે મનાય છે? આ શંકાનું સમાધાન કરાય છે–
“મુજ્યષના કારણે મહાપાયની નિવૃત્તિ થવાથી; તે વખતે ગુરુદેવાદિની પૂજા વગેરેથી જેવો ગુણ થાય છે, તેવો ગુણ કેવળ ગુરુદેવાદિપૂજન વગેરેથી થતો નથી.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે - મુક્તષના કારણે સંસાર નામના મહાન અપાયની નિવૃત્તિ થાય છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ ન હોય ત્યારે સંસારસ્વરૂપ અપાયની નિવૃત્તિ કોઇ પણ રીતે શક્ય બનતી નથી. કારણ કે ત્યારે સંસાર અપાયસ્વરૂપ જણાતો નથી. મુજ્યદ્વેષથી એ મહાપાયની નિવૃત્તિ થાય છે. તેથી તે વખતે કરાતા ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનથી જે ગુણ પ્રાપ્ત થાય છે, તે ગુણ મુજ્યદ્વેષથી રહિત એવી કેવળ તે તે પૂર્વસેવાથી (ગુરુદેવાદિપૂજન વગેરેથી) પ્રાપ્ત થતો નથી. અહીં સંસારથી પાર ઊતરવા સ્વરૂપ મહાપાયનિવૃત્તિ છે. યોગની પૂર્વસેવાને કરનારા આત્માઓને સંસારમાં રહેવું પડે છે એ એક મોટો અપાય જણાય છે. મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ થવાથી સંસારથી પાર ઊતરવાનો આરંભ થાય છે અને તેથી મોક્ષ તરફના ગમનમાં; યોગની પૂર્વસેવા સ્વરૂપ ગુરુદેવાદિપૂજા વગેરે, સમ્યજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરાવવા દ્વારા અનુકૂળ બને છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય ત્યારે યોગની પૂર્વસેવા તેવા પ્રકારના ગુણનું કારણ બનતી નથી, એ સમજી શકાય છે. અહીં શ્લોકમાં “મહાપાય'ના સ્થાને “મહાપાપ' આવો પાઠ હતો. પરંતુ “યોગબિંદુમાં “મદીપાય આવો પાઠ હોવાથી એ પાઠ રાખ્યો છે. ૧૩-શા
| ભિન્ન ભિન્ન કર્તાને આશ્રયીને ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનોની ભિન્નતાને દષ્ટાંતપૂર્વક જણાવાય છે
एकमेव ानुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादिगतं यथा ॥१३-८॥
એક પરિશીલન
૨૦૫