SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. કોઈ પણ જાતનો કદાગ્રહ રાખ્યા વિના અને ધર્માદિ પુરુષાર્થની મહત્તા સમજી લેવાથી; સરળતાથી એ પ્રશ્નોનું સમાધાન કરી શકાશે. અજ્ઞાનની જેમ કદાગ્રહ પણ પ્રશ્નોનું ઉદ્ભવસ્થાન છે. ઉપર જણાવ્યા મુજબ ધર્માદિ પુરુષાર્થને બાધા ન પહોંચે એ રીતે માતાપિતાદિ ગુરુજનોને જે ઈષ્ટ કે અનિષ્ટ છે તેનું ઉપાદાન કે તેનો ત્યાગ કરવો જોઈએ – એ જણાવીને પોતાને જે સારભૂત છે એવા ઉત્કૃષ્ટ અલંકારાદિને માતા-પિતાદિ ગુરુજનને આપી દેવાનું આ શ્લોકના અંતભાગથી જણાવ્યું છે. સામા માણસને પ્રતિકૂળ કરવું નહિ અને અનુકૂળ બનવાનું, એની અપેક્ષાએ પણ પોતાની પાસેની સારભૂત વસ્તુનું અર્પણ કરવાનું થોડું વધારે અઘરું છે. માતાપિતાદિને જે અનિષ્ટ હોય તે ના કરીએ, તેમને જે અનુકૂળ હોય તે પણ કરીએ અને તેમની અપેક્ષા મુજબ તેમને બધું આપી પણ દઈએ; પરંતુ આપણને જે વ્યાપારાદિ દ્વારા પ્રાપ્ત થયું હોય તે બધું માતાપિતાદિને આપી દેવાનું અને તેમાંથી તેઓ જે આપે તે આપણે લેવાનું - આવું શા માટે કરવાનું... વગેરે વિચારો તો આવ્યા જ કરતા હોય છે. તેથી આપણે મેળવેલાં વસ્ત્ર, પાત્ર કે અલંકારાદિ તેમને આપી દેવાનું મન થતું નથી. “મને મળેલું કે મેં મેળવેલું પણ ગુરુજનોનું જ છે.” - એવો ભાવ આવ્યા વિના - આ રીતે સારભૂત વસ્તુનું નિવેદન - સમર્પણ શક્ય નથી. પોતાને મળેલી કે પોતે મેળવેલી વસ્તુઓ પોતાની પાસે જ રાખવાની વૃત્તિ સંયમજીવનમાં પરિણામે ગુરુ-અદત્તાદાનના પાપનું ભાજન બનાવનારી છે. પોતાને મળેલાં વસ્ત્ર, પાત્રાદિ કે શિષ્ય વગેરેની માલિકી પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીની છે - આ વાત લગભગ સ્મૃતિપથમાંથી આજે ચાલી ગઈ છે. એના મૂળમાં “સારાનાં ચ નિવેદન થી જણાવેલી યોગપૂર્વસેવાની ખામી કારણ છે. ભવનિસ્તારક ગુરુદેવશ્રીથી કશું જ છાનું રાખવામાં ન આવે તો કંઈ-કેટલાંય પાપ આજે જીવનમાંથી નાબૂદ થાય. યોગપૂર્વસેવાના અભાવે ખરેખર જ યોગની પ્રાપ્તિ દુષ્કર છે. ગૃહસ્થપણામાં ખૂબ જ ઉપયોગપૂર્વક યોગની પૂર્વસેવાને આત્મસાત્ કરી લેવાથી યોગની આરાધના શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ કરી શકાશે. ૧૨-૪ો. ગુરુપૂજનના જ પ્રકારમંતર જણાવાય છે: તત્તિયોનનું તીર્થે તનૃત્યનુમોર્જિયા .. तदासनाद्यभोगश्च तबिम्बस्थापनार्चने ॥१२-५॥ तद्वित्तेति-तद्वित्तस्य गुरुवर्गालङ्कारादिद्रव्यस्य । योजनं नियोगः । तीर्थे देवतायतनादौ । तन्मृत्यनुमतेस्तन्मरणानुमोदनादिया भयेन । तत्सङ्ग्रहे तन्मरणानुमतिप्रसङ्गात् । तस्यासनादीनामासनशयनभोजनपात्रादीनामभोगोऽपरिभोगः । तद्बिम्बस्य स्थापनार्चने विन्यासपूजे ॥१२-५।। ૧૫૮ યોગપૂર્વસેવા બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy