SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ ઉપલબ્ધ છે. ભાવ એ છે કે અનેક કારણો ભેગા થઇને જે કાર્ય કરે છે; તે બીજા માટે હોય છે. દા.ત. શય્યા, પલંગ અને આસન વગેરે પદાર્થો અનેક કારણોથી નિષ્પન્ન હોવાથી તે તે બીજાઓ (તેને વાપરનારાઓ) માટે છે. તેમ બુદ્ધિ; સત્ત્વ, રજસ્ અને તમસ્ ગુણો સમુદાયથી અર્થક્રિયાને (તે તે કાર્યને) કરે છે, તેથી તે પ૨ માટે છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ચિત્ત સ્વરૂપ પરિણામને ધારણ કરે છે અને તે ભેગા થઇને કાર્ય કરે છે; આથી તે પર માટે છે. અહીં જેના માટે તે કાર્ય છે, તે પર પુરુષ છે. આ પ્રમાણે “તવસ ધ્યેયવાસનામિશ્ચિત્રપિ પરાર્થ સંત્યારિત્વાર્” ।।૪૨૪। આ યોગસૂત્રમાં જણાવ્યું છે. આશય સ્પષ્ટ છે કે ચિત્ત જનમ-જનમના અસંખ્ય સંસ્કારોથી વાસિત હોવા છતાં તે બીજા માટે છે, સ્વાર્થ માટે નથી. કારણ કે તે; ક્લેશ, કર્મ, વાસના, વિષય, ઇન્દ્રિયોના સમુદાયથી કાર્ય કરે છે. જે સંહત્યકારી છે તે પરાર્થ છે. તેમાં જે પર છે તે અહીં પુરુષ છે. આ રીતે અનુમાનપ્રમાણ જ પુરુષની કલ્પનામાં માન(પ્રમાણ) છે. પરંતુ તે સાંખ્યોએ બતાવેલું પ્રમાણ બરાબર નથી. (તેનું કારણ ચોવીસમા શ્લોકથી જણાવાશે.) ૧૧-૨૩૫ कुत इत्याह સાંખ્યોએ દર્શાવેલ અનુમાનપ્રમાણમાં દોષ જણાવાય છે— सत्त्वादीनामपि स्वाभिन्युपकारोपपत्तितः । बुद्धिर्नामैव पुंसस्तत्, स्याच्च तत्त्वान्तरव्ययः ।।११-२४॥ सत्त्वादीनामिति–सत्त्वादीनां धर्माणां स्वाङ्गिन्यपि स्वाश्रयेऽपि । उपकारोपपत्तितः फलाधानसम्भवादुक्तनियमे मानाभावात् सत्त्वादौ संहत्यकारित्वस्य विलक्षणत्वाद् । अन्यथा असंहतरूपपरासिद्धेर्धर्माणां साश्रयत्वव्याप्तेश्च बुद्ध्यैव सफलत्वाद् नैवमात्मा कश्चिदतिरिक्तः सिध्येदिति भावः । तत्तस्माद् વૃદ્ધિ: પુત: પુરુષચૈવ નામ ચાત્ । પુનસ્તત્ત્વાન્તરયોડાવિતત્ત્વોએેવઃ સ્થાત્ ||૧૧-૨૪॥ “સત્ત્વાદિ ધર્મોનો ઉપકાર પોતાના આશ્રયમાં પણ સંગત હોવાથી પૂર્વે જણાવેલા પરાર્થકત્વમાં કોઇ પ્રમાણ નથી. આ રીતે બુદ્ધિથી જ સર્વ સિદ્ધ થતું હોય તો આત્માનું નામ જ બુદ્ધિ છે.તેમ જ અહંકારાદિ તત્ત્વોનો પણ ઉચ્છેદ થશે. અર્થાત્ તેને માનવાની આવશ્યકતા નથી.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. ', કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પુરુષની કલ્પનામાં પ્રમાણ તરીકે સંહત્યકારિતાના કારણે પ૨ાર્થકત્વનું જે અનુમાન છે તેનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તે બરાબર નથી. કારણ કે સત્ત્વાદિ ધર્મો પોતાના આશ્રય બુદ્ધિ ઉપર પણ ઉપકાર કરી શકે છે. અર્થાત્ ફળનું આધાન કરી શકે છે. તેથી ‘સંહત્યકારી પરાર્થક જ હોય છે’ - આ નિયમમાં કોઇ પ્રમાણ નથી. “શયન, શય્યા અને આસનાદિની જેમ પરાર્થકતા સત્ત્વાદિમાં સિદ્ધ થવામાં કોઇ દોષ નથી.’ આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે શયનાદિમાં જે સંહત્યકારિતા છે, તેના કરતાં એક પરિશીલન ૧૩૭
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy