________________
प्रकृतितद्विकारोपहितस्वभावे च तस्मिन् संसारदशायामभ्युपगम्यमाने । धुवं निश्चितममोक्षो मोक्षाभावो वा स्याद्, मुक्तिदशायां पूर्वस्वभावस्य त्यागे कौटस्थ्यहानिप्रसङ्गात् ।।११-११॥
“આ પૂર્વે જણાવેલું કાંઇ પણ; આત્મા અપરિણામી હોવાથી ઘટતું નથી. આત્મા કૂટસ્થ હોતે છતે આત્માનો અસંસાર જ માનવો પડશે. તેમ જ ચોક્કસપણે તેના મોક્ષનો અભાવ માનવો પડશે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સાંખ્યદર્શનકારોએ આત્માને અપરિણામી માન્યો છે. આત્માનો એવો કોઈ જ પરિણામ ન હોવાથી પૂર્વે જણાવ્યા મુજબની કોઈ પણ વાત સંગત થતી નથી. કારણ કે આત્માનો એકાંતે એક સ્વભાવ માનવામાં આવે તો તે સ્વરૂપ ફૂટસ્થ આત્માને સંસારાભાવનો જ પ્રસંગ આવશે. પુષ્કર(કમલવિશેષ)ના પાંદડાની જેમ આત્મા (પુરુષ) સર્વથા નિર્લેપ હોવાથી આત્માના સ્વભાવમાં કોઈ પણ જાતિની વિચલિતતા નહીં આવે. તેથી આત્માનો તેવો નિર્લેપ સ્વભાવ માન્યા વિના પ્રકૃતિ અને તેના વિકાર(બુદ્ધિ વગેરે)ના ઔપાધિક સંબંધના કારણે તેનો(આત્માનો) અનાદિકાળથી સંસાર છે. અર્થાત અનાદિકાલીન એ ઔપાધિક સંબંધ સંસારદશામાં હોય છે એમ માનવાથી આત્માનો સંસાર સંગત છે. તેથી સંસારાભાવનો પ્રસંગ નહીં આવે. આવું યદ્યપિ કહી શકાય છે, પરંતુ તેથી આત્માનો ક્યારે પણ મોક્ષ ન થવાનો પ્રસંગ આવશે. કારણ કે મોક્ષદશામાં પૂર્વસ્વભાવનો ત્યાગ થવાથી આત્માની કૂટસ્થતાની હાનિ થશે અને તે હાનિના નિવારણ માટે સંસારદશાના સ્વભાવનો ત્યાગ માનવામાં ન આવે તો મોક્ષના અભાવનો પ્રસંગ આવશે. તેથી સ્પષ્ટ છે કે આત્માને અપરિણામી માનવાના કારણે સંસાર અને મોક્ષ સંગત નથી.. ઈત્યાદિ વિચારવું. /૧૧-૧૧ સાંખ્યદર્શનમાં બીજું પણ જે અસંગત છે - તે જણાવાય છે–
प्रकृतेरपि चैकत्वे, मुक्तिः सर्वस्य नैव वा ।
जडायाश्च पुमर्थस्य, कर्तव्यत्वमयुक्तिमत् ॥११-१२॥ प्रकृतेरिति-प्रकृतेरपि चैकत्वेऽभ्युपगम्यमाने सर्वस्य मुक्तिः स्याद्, नैव वा कस्यचित् स्याद् । एकं प्रति विलीनोपधानायास्तस्याः सर्वान्प्रति तथात्वाद्, एकं प्रत्यतादृश्याश्च सर्वान् प्रत्यतथात्वाद् । अन्यथा स्वभावभेदे प्रकृतिभेदप्रसङ्गात् । किं चात्मनोऽव्याप्रियमाणस्य भोगसम्पादनार्थमेव प्रकृतिः प्रवर्तत इति भवतामभ्युपगमः । तदुक्तं-“द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः । [२-२०] तदर्थ एव दृश्यस्यात्मेति” [२-२१] जडायाश्च तस्याः पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् । “पुरुषार्थो मया कर्तव्य” इत्येवंविधाध्यवसायो हि पुरुषार्थकर्तव्यता, तत्स्वभावे च प्रकृतेर्जडत्वव्याघात इति ।।११-१२।।
“તેમ જ પ્રકૃતિને એક માનવાથી બધાની મુક્તિ થઈ જશે અથવા કોઇની પણ મુક્તિ નહીં થાય. બીજું જડ એવી પ્રકૃતિનું પુરુષના ભોગ માટેનું કર્તવ્યત્વ યુક્તિસંગત નથી.” - આ
એક પરિશીલન
૧૨૩