SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કરી રાખવા સ્વરૂપ સ્મૃતિ છે. “અનુમૂવિષયાસક્યુમોઃ સ્મૃતિ' 9-99ો આ યોગસૂત્રમાં એ વાત જણાવેલી છે. ઇન્દ્રિયાદિ દ્વારા અનુભવેલા ઘટપટાદિ વિષયોના સંસ્કાર પડે છે અને તે સ્વરૂપે કાલાંતરે તે વિષયો પ્રતીત થાય છે. આ રીતે ચિત્તમાં-બુદ્ધિમાં અનુભવેલા વિષયોનો જે ઉપારોહ થાય છે તેને સ્મૃતિ કહેવાય છે. અહીં એટલું યાદ રાખવું જોઇએ કે વિષયોનું આધિક્ય સ્મૃતિમાં હોતું નથી. અનુભૂત વિષયોથી અધિક વિષય સ્મૃતિમાં હોતા નથી. સંસ્કારની મંદતાદિના કારણે વિષયોની અલ્પતા હોય એ બને, પરંતુ અનુભૂતવિષયથી અધિક વિષય, સ્મૃતિના નથી. ચિત્તની આ પાંચેય વૃત્તિઓનું પોતાના કારણમાં જે અંતરવસ્થાન અને બહિર્લનન (વ્યાઘાત) છે; તેને વૃત્તિનિરોધ કહેવાય છે. બાહ્ય ઘટાદિ વિષયોના અભિનિવેશની નિવૃત્તિ થવાથી ચિત્તની બાહ્ય અને અત્યંતર વૃત્તિઓનો નિરોધ થાય છે. તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે ચિત્તમાં વિલીન થતી હોય છે. ચિત્ત અંતર્મુખ હોય છે. વિષયાકાર પરિણતિને ધારણ કરવાના કાર્યમાં અન્વિત હોતું નથી. તેથી તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે જ અવસ્થિત હોય છે. નદીના પ્રવાહનું પાણી જે બહાર જતું હતું તેને પાળ વગેરે બાંધીને જેમ નદીમાં જ સમાવાય છે તેમ ચિત્તની વૃત્તિઓને પ્રયત્નવિશેષથી ચિત્તમાં જ સમાવાય છે. વૃત્તિઓનું આ રીતે શક્તિરૂપે અંતર્મુખ સ્વરૂપથી જે અવસ્થાન છે, તે વૃત્તિનિરોધ છે તેમ જ ઇન્દ્રિયો દ્વારા ચિત્ત ઘટાદિના જ્ઞાન સ્વરૂપ પ્રકાશની પ્રવૃત્તિનું જે નિયમન કરતું હતું; તે ચિત્તસ્વરૂપનો વિઘાત વૃત્તિ-નિરોધ સ્વરૂપ છે. ' અહીં એ સમજી લેવું જોઈએ કે સૂત્રમાં માત્ર ચિત્તવૃત્તિના વિરોધને જ યોગસ્વરૂપે વર્ણવ્યો છે. પરંતુ ખરી રીતે ક્લેશ(અવિદ્યાદિ)જનક વૃત્તિઓનો નિરોધ જ યોગ છે. તેથી તે ચિત્તની ક્ષિપ્ત, મૂઢ કે વિક્ષિપ્ત અવસ્થામાં વૃત્તિવિશેષનો નિરોધ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ માનવામાં આવતું નથી અને ચિત્તની એકાગ્ર કે નિરુદ્ધ અવસ્થામાં શુદ્ધ સાત્ત્વિક વૃત્તિઓ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ માની શકાય છે. અપ્રશસ્ત મન-વચન-કાયાના યોગના નિરોધને સમજનારા અહીં ચિત્તની વૃત્તિઓના નિરોધને પણ સારી રીતે સમજી શકશે. I/૧૧-૬ll વૃત્તિઓનો નિરોધ કઈ રીતે થાય છે - તે જણાવાય છે सचाभ्यासाच्च वैराग्यात्तत्राभ्यासः स्थितौ श्रमः । दृढभूमि स च चिरं, नैरन्तर्यादराश्रितः ॥११-७।। स चेति-स चोक्तलक्षणो निरोधश्च । अभ्यासाद् वैराग्याच्च भवति । तदुक्तं-“अभ्यासवैराग्याभ्यां तन्निरोध इति” [१-१२] । तत्राभ्यासः, स्थितौ वृत्तिरहितस्य चित्तस्य स्वरूपनिष्ठे परिणामे, श्रमो यनः पुनः पुनस्तथात्वेन चेतसि निवेशनरूपः । तदाह-“तत्र स्थितौ यलोऽभ्यास इति" [१-१३] । स च चिरं ૧૧૮ પાતંજલયોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy